Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ અને એનસીપી વચ્ચે કોઇ ગઠબંધન થઇ રહ્યું છે?

Webdunia
ગુરુવાર, 30 જાન્યુઆરી 2014 (18:41 IST)
:
P.R
શું લોકસભાની આગામી ચૂંટણીઓ માટે ભાજપ અને એનસીપી વચ્ચે કોઇ ગઠબંધન થઇ રહ્યું છે? આ પ્રશ્ન રાજકીય ક્ષેત્રે ચર્ચાઈ રહ્યો છે કેમ કે એનસીપીના ગુજરાતી નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલે 2002ના ગોધરા રમખાણો અંગે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે. એમનું કહેવું છે કે ન્યાયની અદાલતે જ્યારે મોદીને ક્લિનચીટ આપી છે ત્યારે અદાલતના એ ચૂકાદાનું સન્માન થવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એનસીપી કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે એવી જાહેરાત અગાઉ થઇ ગઇ છે.

ચૂંટણીઓ આવે છે ત્યારે રમખાણ કેસો જાહેર ચર્ચામાં ઉછાળવામાં આવે છે. મોદી ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર છે ત્યારે તેમની સામે રમખાણોનો મુદ્દો સહુ પ્રથમ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહે તાજેતરમાં ઉછાળ્યો હતો અને હવે રાહુલ ગાંધીએ પણ તેમને જવાબદાર ઠેરવ્યા હતા. કેન્દ્રમાં કોંગ્રેસ અને એનસીપી સંયુક્ત સરકારમાં હોવા છતાં પ્રફુલ પટેલે મોદીનો બચાવ અને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો છે ત્યારે અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.

સૂત્રોએ કહ્યું કે ચૂંટણીનાં લોકમત તારણો દર્શાવે છે કે મોદીને સાથી પક્ષો સાથે 200 કરતાં વધારે બેઠક મળી શકે. જોકે, સાથી પક્ષોમાં કોણ કોણ હશે તે હજુ નક્કી નથી પરંતુ એનસીપીએ ખુલ્લેઆમ મોદીનો બચાવ કર્યો છે ત્યારે એમ પણ કહી શકાય કે આગામી સમયમાં એનસીપીના શરદ પવાર અને મોદી વચ્ચે કોઇ બેઠક યોજાઈ શકે છે અથવા કોઇ એક મંચ પર મોદીની સાથે એનસીપીના કોઇ નેતા પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહી શકે છે. ચૂંટણીઓ પહેલા આવા અનેક રાજકીય ખેલ જોવા મળી શકે છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments