Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશમાં મોદીની લહેર છે - ઉમર અબ્દુલ્લા

Webdunia
સોમવાર, 21 એપ્રિલ 2014 (10:08 IST)
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા માની રહ્યા છે કે દેશમાં મોદી લહેર છે. અત્યાર સુધી ઉમર 'મોદી લહેર'ને નકારતા રહ્યા હતા. પરંતુ હવે પોતાની અગાઉની વાત પરથી પલટતાં તેમણે કહ્યું કે, દેશમાં મોદીની લહેર છે,  અને જે લોકો મોદી લહેર ન સમજે તેઓ મૂરખ છે.
 
એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને કેન્દ્રની યૂપીએ સરકારમાં સામેલ નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, જે લોકો માને છે કે મોદીનો પ્રભાવ નથી, તે નાસમજ લોકોની દુનિયામાં રહે છે. તેમણે કહ્યું કે, મોદીના પ્રભાવને સ્પષ્ટ જોઈ શકાય છે અને આ લહેર જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પણ દેખાય છે.
 
કોંગ્રસનાં સહયોગી પક્ષના અગ્રણી નેતાનું આ નિવેદન કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધારી શકે છે. જમ્મુ-કાશ્મીર સાથે સંબંધ ધરાવતા કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે થોડા સમય પછી જ ઉમરની વાતનો જવાબ આપ્યો હતો. તેમણે ઉમરની વાતને નકારતા કહ્યું કે દેશમાં મોદીની લહેર નથી.
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments