Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગિરિરાજ અને તોગડિયાના નિવેદન પર મોદી બોલ્યા બિનજવાબદાર નિવેદન ન કરશો

Webdunia
મંગળવાર, 22 એપ્રિલ 2014 (11:02 IST)
. બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સતત વિવાદિત નિવેદન આપી રહેલ પાર્ટી નેતાઓને આજે કડક શબ્દોમાં સલાહ આપી છે.  મોદીને ટ્વીટ કરીને કહ્યુ કે ખુદને બીજેપીના શુભચિંતક  બતાવનારા કેટલાક લોકો પોતાના નિવેદનોથી વિકાસ અને સુશાસનના મુદ્દે પર ચાલી રહેલ પ્રચાર અભિયાનને ભટકાવી રહ્યા છે. 

હુ આવા કોઈપણ બિનજવાબદાર નિવેદનને રદ્દ કરુ છુ અને આ પ્રકારના નિવેદન કરનારા લોકોને અપીલ કરુ છુ કે તેઓ આવા નિવેદનોથી દૂર રહે.  

અત્રે એ ઉલ્લેખનીય છે કે એક અંગ્રેજી છાપામાં છપાયેલ સમાચાર મુજબ તોગડિયાએ શનિવારે ગુજરાતના ભાવનગરમાં એક રેલીમાં કહ્યુ હતુ કે મુસલમાનોને હિંદુ વિસ્તારમાં સંપત્તિ ખરીદવાથી રોકવી જોઈએ. 

બીજી બાજુ બિહારમાં બીજેપીના નેતા ગિરીરાજ સિંહે ઝારખંડના ગોડ્ડામાં એક ચૂંટણી રેલીમાં કહ્યુ હતુ કે જે લોકો તેમની પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે તેમને સામાન્ય ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ ભારત છોડીને પાકિસ્તાન જવુ પડશે. 

ગિરિરાજ સિંહે કહ્યુ હતુ કે જે લોકો નરેન્દ્ર મોદીને રોકવા(પીએમ બનતા) ઈચ્છે છે, તેઓ પાકિસ્તાનની તરફ જોઈ રહ્યા  છે. આવનારા દિવસોમાં તેમને માટે ભારતમાં કોઈ સ્થાન નહી હોય. તેમને માટે પાકિસ્તાનમાં જ સ્થાન હશે. 
 

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments