rashifal-2026

ગણેશજીને અર્ધ્ય આપતી વખતે કરો મંત્ર જાપ, યશ અને વૈભવ પ્રાપ્ત થશે

Webdunia
મંગળવાર, 22 ઑગસ્ટ 2017 (16:12 IST)
કોઈપણ પૂજા અર્ચના, દેવ પૂજન, યજ્ઞ, હવન, ગૃહ પ્રવેશ, વિદ્યારંભ, અનુષ્ઠાન હોય સૌ પ્રથમ ગણેશ વંદના જ કરવામાં આવે છે. જેથી દરેક કાર્ય કોઈપણ પ્રકારના વિધ્ન વગર સંપન્ના થઈ શકે. દરેક માંગલિક કાર્યમાં સૌ પહેલા શ્રી ગણેશની પૂજા કરવી ભારતીય સંસ્કૃતિમાં અનિવાર્ય માનવામાં આવે છે. 
 
કેવી રીતે કરશો પૂજા ? 
 
પૂજન પહેલા શુદ્ધ થઈને આસન પર બેસો. એક વધુ પુષ્પ, ધૂપ, કપૂર, રૌલી, લાલ દોરો, લાલ ચંદન, દૂર્વા, મોદક વગેરે મુકી દો. એક પાટિયા પર સ્વચ્છ પીળુ કપડુ પાથરો. તેના પર ગણેશજીની મૂર્તિ જે માટીથી લઈને સોનાની કોઈપણ ધાતુથી બનેલી હોય તે સ્થાપિત કરો. 
 
ગણેશજીને પ્રિય નૈવેદ્ય મોદક અને લાડુ છે. મૂર્તિપર સિંદુર લગાવો. દૂર્વા ચઢાવો અને ષોડશોપચાર કરો. ધૂપ, દીપ, નૈવેદ્ય, પાનના પત્તા, લાલ વસ્ત્ર અને પુષ્પ વગેરે અર્પિત કરો. ત્યારબા મીઠા માલપુરા અને 11 કે 21 લાડુઓનો ભોગ લગાવો. 
 
ગણેશ પ્રતિમાની સ્થાપના કર્યા પછી તેમને તમારી ત્યા લક્ષ્મીજી સાથે જ રહેવાનુ આમંત્રણ આપો. જો કોઈ બ્રાહ્મણ પાસેથી આ પૂજા કરાવી રહ્યા છો તો તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો. સામાન્ય રીતે તુલસીના પાનને છોડીને બધા પત્ર પુષ્પ ગણેશ પ્રતિમા પર ચઢાવી શકાય છે. ગણપતિજીની આરતી પહેલા ગણેશ સ્ત્રોત કે ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો. 
 
રાત્રે નીચી નજર કરીને ચંદ્રમાને અર્ધ્ય આપો, આ મંત્રનો જાપ કરો. 
 
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ : નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા 
 
અર્થાત તમરો એક દાંત તૂટેલો છે અને તમારી કાયા વિશાળ છે અને તમારી આભા કરોડ સૂર્યોના સમાન છે.  મારા કાર્યોમાં આવનારા અવરોધોને સર્વદા દૂર કરો. પ્રથમ પૂજ્ય ગણેશજીની આરાધનાથી રિદ્ધિ-સિદ્ધિ, યશ અને વૈભવ પ્રાપ્ત થાય છે. 
 
આ ઉપરાંત આ મંત્રોથી પણ ગણેશજીને પ્રસન્ન કરી શકો છો. 
 
"ૐ શ્રીં હ્વીં ક્લીં ગ્લોં ગં ગણપતયે વર વરદે નમ:" 
'ઓમ ગં ગણપતયે નમ:' 
 
ગણેશજીના શરણમાં જે જાય છે તે અવશ્ય આ લોકમાં પૂજ્ય થઈને મરણોપરાંત મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments