rashifal-2026

Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી પર આ 3 રાશિવાળા પર થશે ધનની વર્ષા, 300 વર્ષ પછી આવી રહ્યો છે આવો યોગ

Webdunia
શનિવાર, 16 સપ્ટેમ્બર 2023 (06:30 IST)
Ganesh Chaturthi 2023 Shubh Yog: જ્યોતિષ શાસ્ત્રના મુજબ ગ્રહોના ગોચર, વ્રત અને અને તહેવાર પર અનેક પ્રકારના શુભ અને અશુભ યોગનુ નિર્માણ થાય છે. આ યોગ બધી 12 રાશિઓના જાતકોના જીવનને પ્રભાવિત કરે છે. ઉલ્લેખનીય છે કે ગણેશ ચતુર્થી પર 300 વર્ષ પછી વિશેષ યોગનુ નિર્માણ થઈ રહ્યુ છે. જે અનેક રાશિન જાતકોને શુભ ફળ પ્રદાન કરશે. આ વખતે ગણેશ ચતુર્થીની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આવામાં આ દિવસે શુક્લ યોગ, બ્રહ્મ યોગ અને શુભ યોગ બની રહ્યા છે. આવામાં 3 રાશિવાળા પર ગણેશજી વિશેષ કૃપા વરસાવશે.  આ દરમિયાન આ રાશિવાળાની ધનદોલતમાં વધારો થશે. જાણો આ રાશિવાળા વિશે.. 
 
મેષ - ઉલ્લેખનીય છે કે ગણેશ ચતુર્થી પર આ ત્રણ વિશેષ યોગોનું નિર્માણ મેષ રાશિના જાતકો માટે શુભ ફળ પ્રદાન કરનાર છે. આવી સ્થિતિમાં બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમયે અટવાયેલા મહત્વના કામને વેગ મળશે. આ સમયે તમને માન-સન્માન અને પદ અને પ્રતિષ્ઠા મળશે. આ સમયે તમને તમારા કરિયરમાં પણ શુભ પરિણામ મળશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. તમને અણધાર્યા પૈસા મળશે. કોઈપણ યોજના સફળ થઈ શકે છે. આ સમયે તમે પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરી શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે.
 
મિથુન રાશિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ત્રણ શુભ યોગોની રચના તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આવી સ્થિતિમાં તમે ભાગ્યશાળી બનશો. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. વિદ્યાર્થીઓને આ સમયગાળા દરમિયાન થોડી સફળતા મળી શકે છે. સખત મહેનતનું પરિણામ મળશે અને મહત્વકાંક્ષાઓ પૂર્ણ થશે. વેપારી લોકોને પણ આ સમયે સારો આર્થિક ફાયદો થઈ શકે છે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. આવક વધશે અને ભાગીદારો સાથેના સંબંધો સુધરશે.
 
મકર રાશિ - ગણેશ ચતુર્થી પર રચાયેલા ત્રણ વિશેષ યોગો મકર રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થશે. આ સમયે તમને તમારા વ્યવસાયમાં વિશેષ પરિણામ મળશે. કામની પ્રશંસા થશે. એટલું જ નહીં આ દરમિયાન નફો વધી શકે છે. એટલું જ નહીં, આ સમયે તમે નાની કે મોટી યાત્રા પણ કરી શકો છો, જે ફાયદાકારક સાબિત થશે. આ સમયે નોકરી કરતા લોકોને ઇન્ક્રીમેન્ટ અથવા પ્રમોશન મળી શકે છે. આ સમયે શેરબજાર, સટ્ટાબાજી અને રોકાયેલા પૈસાથી આર્થિક લાભ થશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

Blood Sugar વધી ગયુ છે કે પછી Cholesterol થી છો પરેશાન ? આ પાનનુ સેવન કરવાથી થશે ફાયદો

પોંગલ વિશે નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

જલારામ બાપા ના ભજન

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

Shattila Ekadashi 2026 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments