rashifal-2026

શ્રી ગણેશને દૂર્વા ચઢાવવાનું મહત્વ અને વિધિ અને મંત્ર

શુ આપ જાણો છો કે ગણેશજીને દુર્વો કેમ ચઢાવવામાં આવે છે ?

Webdunia
દરેક કાર્યની સફળતા માટે આપણે ગણેશજીની પૂજા કરીએ છીએ, ઈશ્વર પાસે આપણે સફળતા મેળવવા માટે જ્ઞાન અને વાક્ચાતુર્યની કામના કરીએ છીએ. આપણે ગણપતિ પાસે જ્યારે પણ પ્રાર્થના કરવા જઈએ તો તેમની પ્રિય વસ્તુ મોદક, લાડુ અને દુર્વો લઈ જઈએ છીએ.

આપણે ભગવાન શ્રી ગણેશને દૂર્વો એટલા માટે ચઢાવીએ છીએ કે દૂર્વો મંગળકારી, પાપનાશક અને સુખ-સમૃદ્ધિ આપનાર છે. દૂર્વાને ગમે તે રીતે નથી ચઢાવવામાં આવતો. તેન ચઢાવવાની પણ એક વિધિ હોય છે જેમ આપણે ગણપતિને પ્રસાદના રૂપમાં 21 લાડુ કે મોદકનો ભોગ લગાવીએ છીએ એ જ રીતે દૂર્વાને પણ 21ની સંખ્યામાં ચઢાવવામાં આવે છે.

દૂર્વો ચઢાવતી વખતે નીચે મુજબના મંત્ર બોલતા જાવ અને બે બે દૂર્વો ચઢાવતાં જાવ.. છેવટે દરેક મંત્ર બોલીને શેષ દૂર્વો ચઢાવી દો.

ૐ ગણાધિપાય નમ :
ૐ ઉમાપુત્રાય નમ :
ૐ વિધ્નાશાય નમ:
ૐ વિનાયકાય નમ:
ૐ ઈશાપુત્રાય નમ:
ૐ સર્વસિદ્ધિપ્રદાય નમ:
ૐ એકદન્તાય નમ:
ૐ ઈભવક્ત્રાય નમ:
ૐ મૂષકવાહનાય નમ:
ૐ કુમારગુરવે નમ:

આ રીતે મંત્ર વિધિપૂર્વક શ્રી ગણેશને દૂર્વો ચઢાવવાથી મનની ઈચ્છા પૂરી થાય છે, ઘરમાં ક્લેશ અશાંતિ રહેતા નહી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hug Day 2026: દર વર્ષે હગ ડે કેમ ઉજવવામાં આવે છે? પ્રેમ વ્યક્ત કરવા માટે આલિંગનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે વિશે જાણો.

દયાનંદ સરસ્વતી વિશે માહિતી

What Is Kefir Drink - કેફિર પીણું શું છે? તે સુપરફૂડ્સની યાદીમાં શામેલ છે અને વિટામિન્સ અને ખનિજોનો ભંડાર છે.

ગુજરાતી નિબંધ- વેલેંટાઈન ડે Valentine Day

પ્રોટીનથી ભરપૂર સોયાબીન-મસૂરની ચટણી, સ્વાદમાં સ્વાદિષ્ટ, રોટલી કે ભાત સાથે માણો

વધુ જુઓ..

નવીનતમ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

મહાશિવરાત્રી 2026 - શિવ અને ગંગામાં શું સંબંધ છે

Mahashivratri 2026 Quotes In Gujarati : દેવોના દેવ મહાદેવના ભક્તોને આ સંદેશ દ્વારા મોકલો મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

ભારતના 12 જ્યોતિર્લિંગ: શિવરાત્રિ પર જાણો 12 જ્યોતિર્લિંગનો મહિમા, પૌરાણિક કથાઓ અને યાત્રાની સંપૂર્ણ વિગત

આગળનો લેખ
Show comments