Festival Posters

ગણપતિ વિસર્જન મુહુર્ત

Webdunia
બુધવાર, 26 ઑગસ્ટ 2015 (11:56 IST)
ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના રોજ અનંત ચતુર્દશી (આ વખતે 27 સપ્ટેમ્બર રવિવાર)ના રોજ તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે 10 દિવસીય ગણેશોત્સવનું સમાપન થાય છે અને ઘરોમાં સ્થાપિત ભગવાન શ્રીગણેશની પ્રતિમાઓનુ વિસર્જન કરવામાં આવે છે. શાસ્ત્રોક્ત માન્યતા છે કે જે પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તેનુ વિસર્જન થવુ જોઈએ. 
 
જરૂરી નથી કે આ વિસર્જન નદી કે જળાશયમાં જ થાય. હા વિસર્જન જળમાં જ થવુ જોઈએ. ઉત્તમ ઉપાય એ છે કે તમે ઘરમાં જ સ્વચ્છ પાત્ર અને શુદ્ધ જળમાં પ્રતિમાનું વિસર્જન કરો. વિસર્જન પહેલા ભગવાન શ્રીગણેશનુ પૂજન પણ કરવામાં આવે છે જેની વિધિ આ મુજબ છે. 
 
વિધિ 
 
વિસર્જન પહેલા સ્થાપિત ગણેશ પ્રતિમાનો સંકલ્પ મંત્ર પછી ષોડશોપચાર પૂજન આરતી કરો. ગણેશજીની મૂર્તિ પર સિંદૂર ચઢાવો. મંત્ર બોલતા 21 દુર્વા દળ ચઢાવો. 21 લાડુઓનો ભોગ લગાવો. તેમાંથી 5 લાગુ મૂર્તિ પાસે મુકી દો અને 5 લાડુ બ્રાહ્મણોને દાન કરો. બાકીના લાડુ પ્રસાદના રૂપમાં વહેંચી દો. પૂજન સમયે આ મંત્ર બોલો - ૐ ગં ગણપતયે નમ: 
 
ગણેશજીને દુર્વા અર્પિત કરતી સમયે નીચે લખેલા મંત્રોનો જાપ કરો.  
 
ऊँ गणाधिपतयै नम: 
ऊँ उमापुत्राय नम:
ऊँ विघ्ननाशनाय नम: 
ऊँ विनायकाय नम:
ऊँ ईशपुत्राय नम: 
ऊँ सर्वसिद्धप्रदाय नम:
ऊँ एकदन्ताय नम:
ऊँ इभवक्त्राय नम:
ऊँ मूषकवाहनाय नम: 
ऊँ कुमारगुरवे नम: 
 
ત્યારબાદ શ્રીગણેશની આરતી ઉતારો અને ઘરમાં જ ચોખ્ખા વાસણ અને શુદ્ધ જળમાં મૂર્તિનુ વિસર્જન કરો અને આ મંત્ર બોલો
 
यान्तु देवगणा: सर्वे पूजामादाय मामकीम् ।
इष्टकामसमृद्धयर्थं पुनर्अपि पुनरागमनाय च ॥
 
હવે આ જળ પવિત્ર વૃક્ષોના  જડમાં અર્પિત કરી દો. તેનાથી ગણેશજીની કૃપા સદા માટે તમારા પરિવાર પર કાયમ રહેશે. 
 
વિસર્જનનુ શુભ મુહૂર્ત 
 
સવારે 7:40થી બપોરે 12:20 સુધી 
બપોરે 1:40થી 3:20 સુધી 
સાંજે 6:20 થી 7:00 વાગ્યા સુધી 
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

આગળનો લેખ
Show comments