Festival Posters

Chhath Puja 2023: આ દિવસથી છઠ પર્વની શરૂઆત, નહાય ખાયની સાથે છઠ પૂજા, જાણો ખરના અને અર્ધ્યનો સમય

Webdunia
ગુરુવાર, 16 નવેમ્બર 2023 (11:26 IST)
Chhath Puja - છઠ પૂજાને મહાપર્વ તહેવાર કહેવામાં આવે છે. તે સંપૂર્ણપણે પ્રકૃતિને સમર્પિત છે. લોકો આ તહેવાર ખૂબ જ આસ્થા સાથે ઉજવે છે. દિવાળી પછી છઠ પર્વની તૈયારીઓ શરૂ થાય છે. આ તહેવાર દરમિયાન ભક્તો 36 કલાક પાણી વિના ઉપવાસ કરે છે. આટલું લાંબું વ્રત અન્ય કોઈ તહેવારમાં જોવા મળતું નથી. છઠ પૂજાની શરૂઆત ચાર દિવસીય નહાય ખાય સાથે થાય છે. છઠ પૂજામાં ષષ્ઠી માતા અને સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. આ તહેવારને સૂર્ય ષષ્ઠી તરીકે પણ ઓળખવામાં આવે છે.

केलवा जे फरेले घवद से उहे पर सुगा मंडराय, मारबउ रे सुगवा धनुष से, कांच ही बांस के बन बहंगिया बहंगी लचकत जाय.. જેવા લોક આસ્થાના ગીતની સાથે નાખ્યો આજથી નહાય-ખાયની સાથે શરૂ થશે . જ્યોતિષાચાર્યના મુજબ કાર્તિક મહીનાની ચતુર્થી તિથિ પર નહાય ખાય હોય છે. છઠ પર્વ પર સંતાનની સુખ-સમૃદ્ધિ અએ દીર્ઘાયુની કામના માટે સૂર્યદેવ અને છઠી મૈયાની સ્તુતિ કરાશે. લોકો સ્નાન કરી નવા કપડા ધારણ કરી પૂજા પછી ચણા, દાળ, કોળુંનુ શાકનુ સેવન કરશે. 
 
છઠ, લોક આસ્થાનો મહાન તહેવાર, કારતક શુક્લ પક્ષની છઠ્ઠના દિવસે ઉજવવામાં આવે છે. છઠ એ ચાર દિવસનો તહેવાર છે જે મુખ્યત્વે બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ઉજવવામાં આવે છે. મહિલાઓ સૂર્યદેવની પૂજા કરીને ત્રણ દિવસ ઉપવાસ કરે છે. તહેવારનો ત્રીજો દિવસ મુખ્ય છઠ પૂજા છે.
 
મહિલાઓ દિવસભર નિર્જલા વ્રત રાખશે. સાંજે ખરના પૂજન કરશે. ચૂલ્હા પર ગોળની ખીર બનાવીને પ્રસાદ ગ્રહણ કરશે. ઠેકુઆનો પ્રસાદ કુળ દેવતા અને છઠ મઈયાને અર્પિત કરાશે. ઘરમાં છઠ મઈયાનો અખંડ દીપ પ્રગટાવીને મનોકામના કરશે. માન્યતા છે કે ખરના પછીથી જ છઠી મઈયાનો ઘરમાં આગમન હોય છે. 30 ઓક્ટોબરે સંગમ અને ગંગા યમુનાના જુદા-જુદા ઘાટ પર વ્રતી લોકો ડૂબતા સૂર્યને અર્ધ્ય આપશે. આ ક્રમમાં 31 ઓક્ટોબરે ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાની સાથે વ્રતનો પારણ થશે. પર્વને લઈને ઘરમાં ઉત્સાહ છે. પૂજન સામગ્રીની સાફ-સફાઈ અને પ્રસાદ બનાવવાની તૈયારી પૂરી થઈ ગઈ છે. 
 
 
ઉપવાસ, પૂજા દિવસ અને સમય
આ દિવસથી છઠ પર્વની શરૂઆત થઈ રહી છે
નહાય ખાયનો દિવસ - નહાય ખાય 17 નવેમ્બર 2023, શુક્રવારના રોજ કરવામાં આવશે.
 
 
ખરના તારીખ - ખારણા 18 નવેમ્બર 2023, શનિવારના રોજ છે.
છઠ પૂજાનું સાંજનું અર્ઘ્ય - 19 નવેમ્બરના રોજ છઠ પૂજાનું સાંજનું અર્ઘ્ય આપવામાં આવશે.

છઠ પૂજા તારીખ છઠ પૂજા દિવસ છઠ પૂજા વિધિ
શુક્રવાર, નવેમ્બર 17, 2023 પ્રથમ દિવસ નહાય-ખાય 
શનિવાર, 18 નવેમ્બર 2023 દિવસ 2 ખરના 
રવિવાર, 19 નવેમ્બર 2023 ત્રીજા દિવસે સાંજે અર્ઘ્ય
સોમવાર, 20 નવેમ્બર 2023 ચોથો દિવસ ઉષા અર્ઘ્ય

 
પરંપરામાં પવિત્રતાનુ ખાસ ધ્યાન 
છઠની દરેક પરંપરામાં પવિત્રતાનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ ત્યારે જ વ્રતનો પૂર્ણ ફળ મળે છે. નહાય ખાયના દિવસે વ્રત પૂર્ણ શુદ્ધતાથી ઘરની સફાઈ કરવી. વ્રતીઓના પવિત્ર નદી કે તળાવમાં સ્નાનનો વિધાન છે. ભોજન બનાવતા સમયે કોઈ ઝૂઠી વસ્તુનો ઉપયોગ ન થાય. વ્રતીની સાથે ઘરમા રહેતા સભ્યોને પણ શુદ્ધતાનો પૂર્ણ ધ્યાન રાખવુ જોઈએ. 
Chhath Puja 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સોજી ચિલ્લા બનાવવાની એક સરળ રેસીપી, જેમાં દહીં ઉમેરવાથી તમને એક સ્વાદિષ્ટ સ્વાદ મળશે જે તમને આંગળીઓ ચાટવા માટે મજબુર કરી દેશે.

ડાયાબીટીસનાં દર્દીઓ માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, ભૂલથી પણ ન લગાડશો હાથ, નહી તો જઈ શકે છે જીવ

World Television Day: જાણો વિશ્વ ટેલિવિઝન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને ભારતમાં ટીવી સાથે સંબંધિત શું છે ઇતિહાસ

શિયાળાની મજા બમણી થઈ જશે, બસ ઘરે બજારની જેમ રામ લાડુ બનાવો અને ખાઓ, રેસીપી નોંધી લો

આયુર્વેદમાં કેન્સર સામે લડનારી વસ્તુઓ કઈ છે? Cancer નાં સંકટને કેવી રીતે દૂર કરી શકાય?

વધુ જુઓ..

નવીનતમ

અઠવાડિયામાં કયા દિવસે શુ ખરીદવુ શુભ, શુ ખરીદવાથી બચવુ ? જાણો દિવસ અને વાર મુજબ ખરીદીના જ્યોતિષ નિયમ

Vivah Panchami 2025: ક્યારે છે વિવાહ પંચમી, શુભ યોગ હોવા છતાં આ દિવસે કેમ નથી કરવામાં આવતા લગ્ન ? જાણો

Friday remedies- શુક્રવારે દીવમાં કોડી રાખીને પ્રગટાવશો તો શું થશે?

Vivah Panchami 2025 Date: 24 કે 25 નવેમ્બર ક્યારે છે વિવાહ પંચમી ? જાણી લો સાચી તારીખ અને પૂજા વિધિ

First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

આગળનો લેખ
Show comments