Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chhath Puja 2023: આ દિવસથી છઠ પર્વની શરૂઆત, નહાય ખાયની સાથે છઠ પૂજા, જાણો ખરના અને અર્ધ્યનો સમય

Webdunia
ગુરુવાર, 16 નવેમ્બર 2023 (11:26 IST)
Chhath Puja - છઠ પૂજાને મહાપર્વ તહેવાર કહેવામાં આવે છે. તે સંપૂર્ણપણે પ્રકૃતિને સમર્પિત છે. લોકો આ તહેવાર ખૂબ જ આસ્થા સાથે ઉજવે છે. દિવાળી પછી છઠ પર્વની તૈયારીઓ શરૂ થાય છે. આ તહેવાર દરમિયાન ભક્તો 36 કલાક પાણી વિના ઉપવાસ કરે છે. આટલું લાંબું વ્રત અન્ય કોઈ તહેવારમાં જોવા મળતું નથી. છઠ પૂજાની શરૂઆત ચાર દિવસીય નહાય ખાય સાથે થાય છે. છઠ પૂજામાં ષષ્ઠી માતા અને સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. આ તહેવારને સૂર્ય ષષ્ઠી તરીકે પણ ઓળખવામાં આવે છે.

केलवा जे फरेले घवद से उहे पर सुगा मंडराय, मारबउ रे सुगवा धनुष से, कांच ही बांस के बन बहंगिया बहंगी लचकत जाय.. જેવા લોક આસ્થાના ગીતની સાથે નાખ્યો આજથી નહાય-ખાયની સાથે શરૂ થશે . જ્યોતિષાચાર્યના મુજબ કાર્તિક મહીનાની ચતુર્થી તિથિ પર નહાય ખાય હોય છે. છઠ પર્વ પર સંતાનની સુખ-સમૃદ્ધિ અએ દીર્ઘાયુની કામના માટે સૂર્યદેવ અને છઠી મૈયાની સ્તુતિ કરાશે. લોકો સ્નાન કરી નવા કપડા ધારણ કરી પૂજા પછી ચણા, દાળ, કોળુંનુ શાકનુ સેવન કરશે. 
 
છઠ, લોક આસ્થાનો મહાન તહેવાર, કારતક શુક્લ પક્ષની છઠ્ઠના દિવસે ઉજવવામાં આવે છે. છઠ એ ચાર દિવસનો તહેવાર છે જે મુખ્યત્વે બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ઉજવવામાં આવે છે. મહિલાઓ સૂર્યદેવની પૂજા કરીને ત્રણ દિવસ ઉપવાસ કરે છે. તહેવારનો ત્રીજો દિવસ મુખ્ય છઠ પૂજા છે.
 
મહિલાઓ દિવસભર નિર્જલા વ્રત રાખશે. સાંજે ખરના પૂજન કરશે. ચૂલ્હા પર ગોળની ખીર બનાવીને પ્રસાદ ગ્રહણ કરશે. ઠેકુઆનો પ્રસાદ કુળ દેવતા અને છઠ મઈયાને અર્પિત કરાશે. ઘરમાં છઠ મઈયાનો અખંડ દીપ પ્રગટાવીને મનોકામના કરશે. માન્યતા છે કે ખરના પછીથી જ છઠી મઈયાનો ઘરમાં આગમન હોય છે. 30 ઓક્ટોબરે સંગમ અને ગંગા યમુનાના જુદા-જુદા ઘાટ પર વ્રતી લોકો ડૂબતા સૂર્યને અર્ધ્ય આપશે. આ ક્રમમાં 31 ઓક્ટોબરે ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાની સાથે વ્રતનો પારણ થશે. પર્વને લઈને ઘરમાં ઉત્સાહ છે. પૂજન સામગ્રીની સાફ-સફાઈ અને પ્રસાદ બનાવવાની તૈયારી પૂરી થઈ ગઈ છે. 
 
 
ઉપવાસ, પૂજા દિવસ અને સમય
આ દિવસથી છઠ પર્વની શરૂઆત થઈ રહી છે
નહાય ખાયનો દિવસ - નહાય ખાય 17 નવેમ્બર 2023, શુક્રવારના રોજ કરવામાં આવશે.
 
 
ખરના તારીખ - ખારણા 18 નવેમ્બર 2023, શનિવારના રોજ છે.
છઠ પૂજાનું સાંજનું અર્ઘ્ય - 19 નવેમ્બરના રોજ છઠ પૂજાનું સાંજનું અર્ઘ્ય આપવામાં આવશે.

છઠ પૂજા તારીખ છઠ પૂજા દિવસ છઠ પૂજા વિધિ
શુક્રવાર, નવેમ્બર 17, 2023 પ્રથમ દિવસ નહાય-ખાય 
શનિવાર, 18 નવેમ્બર 2023 દિવસ 2 ખરના 
રવિવાર, 19 નવેમ્બર 2023 ત્રીજા દિવસે સાંજે અર્ઘ્ય
સોમવાર, 20 નવેમ્બર 2023 ચોથો દિવસ ઉષા અર્ઘ્ય

 
પરંપરામાં પવિત્રતાનુ ખાસ ધ્યાન 
છઠની દરેક પરંપરામાં પવિત્રતાનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ ત્યારે જ વ્રતનો પૂર્ણ ફળ મળે છે. નહાય ખાયના દિવસે વ્રત પૂર્ણ શુદ્ધતાથી ઘરની સફાઈ કરવી. વ્રતીઓના પવિત્ર નદી કે તળાવમાં સ્નાનનો વિધાન છે. ભોજન બનાવતા સમયે કોઈ ઝૂઠી વસ્તુનો ઉપયોગ ન થાય. વ્રતીની સાથે ઘરમા રહેતા સભ્યોને પણ શુદ્ધતાનો પૂર્ણ ધ્યાન રાખવુ જોઈએ. 
Chhath Puja 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Vinayak Chaturthi 2025 Upay: ધન દોલત વધારવી છે તો વિનાયક ચતુર્થીના દિવસે કરો આ કામ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

નવરાત્રી દુર્ગા પૂજાના ફરાળી રેસીપી, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments