Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘર અને ઓફીસની શોભા વધારતો વાંસ

Webdunia
N.D
ઘર અને ઓફીસને સજાવવા માટે આજકાલ કેટલાયે પ્રકારના છોડ બજારમાં મળે છે. આમાં લકી વાંસનો પણ સમાવેશ થાય છે. તાજા લીલા લકી વાંસને ચલણ અનુસાર સજાવટની સાથે સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.

સજાવટી કાચના વાસણમાં મળતા આ છોડ કેટલાયે સુંદર આકારોમાં જોવા મળે છે. આની સૌથી સારી ખાસિયત તે છે કે આને માટી વિના પાણીમાં પણ ઉગાડી શકાય છે. આ છોડ પાણી વડે જ સ્વસ્થ્ય રહે છે. આ છોડની નાની નાની દાંડીઓને એકસાથે બંડલ બનાવીને બાંધી દેવામાં આવે છે અને તેને સુંદર આકાર આપવામાં આવે છે. આ છોડની કિંમત તેની આકૃતિ પર નિર્ભર રહેલી હોય છે.

આ છોડ ડ્રેસીના પ્રજાતિનો છે જેનું વાનસ્પતિક જગતમાં નામ છે ડ્રેસીના સેંડેરિયાના. ખાસ કરીને આ છોડ ભારતમાં જોવા મળતો નથી. વાંસને વધવા માટે સુર્યના કિરણોની કોઈ જ જરૂરત હોતી નથી. એટલા માટે ઘરના કોઈ પણ ખુણામાં મુકેલો આ વાંસ તેની જાતે જ આપણું ધ્યાન તેની તરફ આકર્ષિત કરે છે. આ છોડની વધારે પડતી સાર સંભાળ રાખવાની જરૂરત નથી પડતી કેમકે આ છોડ એક વર્ષ દરમિયાન માત્ર ચાર ઈંચ જેટલો જ વધે છે. આ છોડ નોન ટૉક્સિક છે અને પાળતુ પ્રાણીઓ અને બાળકો માટે પણ એકદમ સુરક્ષિત છે.

એવું માનવામાં આવે છે કે આ ઘર-આંગણની લીલોતરીમાં વધારો કરીને તેમાં ચાર ચાંદ લગાવનાર આ છોડ ડ્રેસીના સેડેરિયાનાથી ઘરના લોકોનું નસીબ પણ ચમકી જાય છે. ફેંગશુઈને અનુસાર આ છોડ ધાતુ, અગ્નિ, પૃથ્વી, આકાશ, વાયુ અને જંગલના તત્વોમાં સંતુલન પેદા કરે છે. ફેંગશુઈના વિદ્વાનોનું માનવું છે કે લકી વાંસ ઘર કે ઓફીસના વાતાવરણમાં સતુલન પેદા કરે છે અને આ ગુડલક અને પ્રગતિનું પ્રતિક છે. ફેંગશુઈને પદ્ધતિને અનુસાર આ છોડ ઘરમાં રહેનારા લોકો માટે મૂડ બુસ્ટરનું કામ પણ કરે છે કેમકે આની સકારાત્મક ઉર્જા ઘરના વાતારવણને જીવંત બનાવી રાખે છે. આ બંડલને બાંધવા માટે રેડ રિબીનનો ઉપયોગ કરવામાં આવે છે જે અગ્નિ તત્વનું સકારાત્મક રૂપમાં પ્રતિનિધિત્વ કરે છે.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments