Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાર જાનવરોનું મહત્વ

Webdunia
W.D

ઘરના નિર્માણમાં ચીનવાસીઓનો એવો વિશ્વાસ છે કે ફેંગશુઈના દ્રષ્ટિકોણથી દક્ષિણમુખી ભૂખંડ સર્વોત્તમ અને શુભ માનવામાં આવે છે. દક્ષિણમુખી ઘરની સામે વધારે ખુલ્લી જગ્યા ચીની જળવાયું અનુસાર ઉત્તમ માનવામાં આવે છે કેમકે ગ્રીષ્મમાં દક્ષિણ તરફથી વહેતી હવા સારી અને ઉત્સાહવર્ધક સમજવામાં આવે છે. આનાથી ઉલટું કે તે મકાન જેનો મુખ્ય દ્વાર ઈશાનમાં આવેલ હોય તેને અશુભ માનવામાં આવે છે. કેમકે ઉત્તર તરફથી પ્રવાહીત વાયુ પોતાની સાથે મોંગોલીયોથી પીળી ધૂળ લઈને આવે છે.

ચીનીઓની માન્યતા છે કે ઘરની બહાર ચારે દિશાઓમાં ચાર જાનવર વિદ્યમાન રહે છે જે ઘરની સુરક્ષા કરે છે.

આ ચાર જાનવર- કાળો કાચબો, લાલ પક્ષી, સફેદ વાઘ તેમજ લીલો ડ્રેગન. કાળો કાચબો ઉત્તર દિશા, લાલ પક્ષી દક્ષિણ દિશા, સફેદ વાઘ પશ્ચિમ દિશા તેમજ લીલો ડ્રેગન પૂર્વ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે.

કાળો કાચબો લાલ પક્ષી કરતાં ઉંચો હોવો જોઈએ એટલે કે મકાનની પાછળની ભૂમિ સામેની ભૂમિ કરતાં થોડીક ઉંચી હોવી જોઈએ જેથી કરીને તે ઘરની અંદર રહેનારાઓની રક્ષા અને સહાયતા કરી શકે.

મકાનનો પાછળનો ભાગ નીચો ન હોવો જોઈએ. અહીંયાથી ચી ખુબ જ ઝડપથી બહાર નીકળી જાય છે જેના લીધે વ્યાપારમાં નુકશાન થવાની સંભાવના રહે છે.

મકાનની ડાબી બાજુ સફેદ વાઘ અને જમણી બાજું લીલા ડ્રેગનનું પ્રતિક માનવામાં આવે છે. લીલો ડ્રેગન સફેદ વાઘ કરતાં ઉંચો હોવો જોઈએ એટલે કે ડાબા ભાગની ભૂમિ જમણા ભાગની ભૂમિ કરતાં ઉંચી હોવી જોઈએ.

પ્રચંડ ગરમી ઝાડાઊલટી, ટાઇફોઇડ રોગચાળા વકર્યો

ISISના ચારેય આતંકીઓ સ્યુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતાઃ DGP વિકાસ સહાય

ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકવાદીઓ ઝડપ્યા

દાહોદના વરરાજાની ગાડીમાંથી મધ્યપ્રદેશની દુલ્હન કીડનેપ, બે આરોપીઓ રાઉન્ડઅપ

ગુજરાતમાં નહીં મળે ગરમીથી રાહત, રાજ્યના આ શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

Show comments