Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘર અને ઓફીસની શોભા વધારતો વાંસ

Webdunia
N.D
ઘર અને ઓફીસને સજાવવા માટે આજકાલ કેટલાયે પ્રકારના છોડ બજારમાં મળે છે. આમાં લકી વાંસનો પણ સમાવેશ થાય છે. તાજા લીલા લકી વાંસને ચલણ અનુસાર સજાવટની સાથે સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.

સજાવટી કાચના વાસણમાં મળતા આ છોડ કેટલાયે સુંદર આકારોમાં જોવા મળે છે. આની સૌથી સારી ખાસિયત તે છે કે આને માટી વિના પાણીમાં પણ ઉગાડી શકાય છે. આ છોડ પાણી વડે જ સ્વસ્થ્ય રહે છે. આ છોડની નાની નાની દાંડીઓને એકસાથે બંડલ બનાવીને બાંધી દેવામાં આવે છે અને તેને સુંદર આકાર આપવામાં આવે છે. આ છોડની કિંમત તેની આકૃતિ પર નિર્ભર રહેલી હોય છે.

આ છોડ ડ્રેસીના પ્રજાતિનો છે જેનું વાનસ્પતિક જગતમાં નામ છે ડ્રેસીના સેંડેરિયાના. ખાસ કરીને આ છોડ ભારતમાં જોવા મળતો નથી. વાંસને વધવા માટે સુર્યના કિરણોની કોઈ જ જરૂરત હોતી નથી. એટલા માટે ઘરના કોઈ પણ ખુણામાં મુકેલો આ વાંસ તેની જાતે જ આપણું ધ્યાન તેની તરફ આકર્ષિત કરે છે. આ છોડની વધારે પડતી સાર સંભાળ રાખવાની જરૂરત નથી પડતી કેમકે આ છોડ એક વર્ષ દરમિયાન માત્ર ચાર ઈંચ જેટલો જ વધે છે. આ છોડ નોન ટૉક્સિક છે અને પાળતુ પ્રાણીઓ અને બાળકો માટે પણ એકદમ સુરક્ષિત છે.

એવું માનવામાં આવે છે કે આ ઘર-આંગણની લીલોતરીમાં વધારો કરીને તેમાં ચાર ચાંદ લગાવનાર આ છોડ ડ્રેસીના સેડેરિયાનાથી ઘરના લોકોનું નસીબ પણ ચમકી જાય છે. ફેંગશુઈને અનુસાર આ છોડ ધાતુ, અગ્નિ, પૃથ્વી, આકાશ, વાયુ અને જંગલના તત્વોમાં સંતુલન પેદા કરે છે. ફેંગશુઈના વિદ્વાનોનું માનવું છે કે લકી વાંસ ઘર કે ઓફીસના વાતાવરણમાં સતુલન પેદા કરે છે અને આ ગુડલક અને પ્રગતિનું પ્રતિક છે. ફેંગશુઈને પદ્ધતિને અનુસાર આ છોડ ઘરમાં રહેનારા લોકો માટે મૂડ બુસ્ટરનું કામ પણ કરે છે કેમકે આની સકારાત્મક ઉર્જા ઘરના વાતારવણને જીવંત બનાવી રાખે છે. આ બંડલને બાંધવા માટે રેડ રિબીનનો ઉપયોગ કરવામાં આવે છે જે અગ્નિ તત્વનું સકારાત્મક રૂપમાં પ્રતિનિધિત્વ કરે છે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

Show comments