Webdunia - Bharat's app for daily news and videos

Install App

Navratri 1st Day Recipe - ઉપવાસ છે તો બનાવી લો શિંગોડાના લોટની બરફી

Navratri 1st Day Recipe  - ઉપવાસ છે તો બનાવી લો શિંગોડાના લોટની બરફી
Webdunia
ગુરુવાર, 3 ઑક્ટોબર 2024 (16:04 IST)
Singhara Barfi
જો તમે પણ નવરાત્રિનુ વ્રત કરી રહ્યા છો અને આ વખતે નવરાત્રિ પર કંઈક ખાસ બનાવવા માંગો છો તો તમારે આજે નવરાત્રિના પહેલા દિવસે આ શિંગોડાના લોટની બરફી જરૂર ટ્રાય કરવી જોઈએ 
 
નવરાત્રિ વ્રતમાં લોકો મોટેભાગે ફળાહાર ખાય છે. જો તમે પણ વ્રતમાં ગળ્યુ ખાવાનુ પસંદ કરો છો તો તમે આ વખતે શિંગોડાના લોટની બરફીની આ રેસીપી બનાવીને જોઈ શકો છો. સિંગોડાની બરફી બનાવવા માટે તમારે ન તો વધુ ફેંસી સામાનની જરૂર પડશે કે ન તો તમને વધુ સમય લાગશે.  આ બરફીને ખાધા પછી વ્રત દરમિયાન અનુભવાતી કમજોરી અને થાકને પણ ગાયબ થઈ જશે.  આવો જાણીએ આ બરફી બનાવવાની સહેલી રીત. 
 
પહેલુ સ્ટેપ - શિંગોડાની બરફી બનાવવા માટે સૌથી પહેલા તમારે એક  કડાહીમાં 2-3 ચમચી ઘી નાખીને તેને મઘ્યમ તાપ પર ગરમ કરવાનુ છે. ઘી ઓગળી જાય કે કઢાઈમાં એક કપ શિંગોડાનો લોટ નાખીને તેને સારી રીતે સેકી લો. 
 
બીજુ સ્ટેપ - તમારે લોટને ત્યા સુધી ચલાવતા રહેવાનુ છે જ્યા સુધી તેનો રંગ ગોલ્ડન ન થઈ જાય. ત્યારબાદ તમારે કઢાઈમાં એક કપ દૂધ નાખો.  
 
ત્રીજુ સ્ટેપ - તમારે દૂધ લોટમા એકસાથે નાખવાને બદલે થોડું-થોડું મિક્સ કરવાનું રહેશે. જ્યારે આ મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જાય, ત્યારે તમારે તેમાં ત્રણ-ચોથાઈ (3/4)કપ ખાંડ નાખવી.
 
ચોથું સ્ટેપ - ખાંડ સારી રીતે મિક્સ થયા પઆ પછી તમે આ મિશ્રણમાં બારીક સમારેલા કાજુ અને બદામ પણ ઉમેરી શકો છો. બરફીનો સ્વાદ વધારવા માટે તમારે આ મિશ્રણમાં એક ચોથાઈ ચમચી ઈલાયચી પાવડર પણ નાખી શકો છો.  
 
છઠ્ઠુ સ્ટેપ - જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ  જાય તો તમે તેને બરફીના શેપમાં કાપી શકો છો.  હવે તમારી શિંગોડાની બરફી ખાવા માટે તૈયાર છે.  
 
વિશ્વાસ કરો તમને આ બરફીનો સ્વાદ ખૂબ ભાવશે. વ્રત દરમિયાન આ બરફીને ખાવાથી તમે આખો દિવસ એનર્જેટિક અનુભવશો. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments