નવરાત્રીમાં માતાના ગરબા ગાયા બાદ મોડી રાત્રે ગુજરાતી દોહાનો લલકાર ગાજી ઉઠે છે. જેમાં નીચે આપેલા ચાર દોહા વધુ ગાવામાં આવે છે.
દોહા (1) હે......... આઘટ ગાગરની વાત મજાની, જન્મ ધરીને જીવવાની...... જન્મ ધરીને જીવવાની પેટ ભરી ખાવા પીવાની, હસવાની ને રડવાની..... જીરે હસવાની ને રડવાની હે......... નિંદા કરવાની ગુણલા ગાવાની, મીઠાં ગડથોલાં ખાવાની..... મીઠા ગડથોલાં ખાવાની અંતે ખોળે ધૂળ ભરીને, ધૂળમાં છે મળી જાવાની...... જીરે ધૂળમાં છે મળી જાવાની
દોહા (2) હે........ દુખીયાં આવે દુઃખ મીટાવે, ગુણીજન આવે ગુણ ગાવે ....... ગુણીજન આવે ગુણ ગાવે જ્ઞાની ધ્યાની ને માની આવે, મનવાંછીત ફળ સૌ પાવે..... રે જીરે મનવાંછીત ફળ સૌ પાવે. હે......... કોઈ ગવડાવે તો કોઈગાવે, કોઈ ખાવે કોઈ ખવડાવે..... કોઈ ખાવે કોઈ ખવડાવે જલાની પાસે જે કોઈ આવે, ખાલી હાથન કોઈજાવે ..... રે જીરે ખાલી હાથ ન કોઈ જાવે.