Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kali chaudas : નરક ચતુર્દશી પર શા માટે હોય છે બજરંગબલીની પૂજા? આ ઉપાયથી થશે લાભ

Webdunia
બુધવાર, 30 ઑક્ટોબર 2024 (09:02 IST)
"Narak Chaturdashi 2022: નવરાત્રીની સાથે જ તહેવારોની પણ શરૂઆત થઈ જાય છે. જલ્દી જ હિંદુઓનો સૌથી મોટુ તહેવાર દિવાળી પણ આવે છે પણ દિવાળીથી પહેલા એક દિવસ પહેલા ઉજવાય છે નરક ચતુર્દશી. આ દિવસથી સંકળાયેલી ઘણી માન્યતાઓ છે. તેમાંથી એક નરક ચતુર્દશી પર બરંગબલીની પૂજા પણ કરાય છે. ભગવાન શ્રીકૃષ્ણ, માતા કાલી અને મૃત્યુના દેવતા યમરાજની પૂજા વિશે તો બધા જાણે છે, પરંતુ હજુ પણ ઘણા લોકો નથી જાણતા કે આ દિવસે બજરંગબલીની પૂજાનું મહત્વ શું છે? તો ચાલો તમને જણાવીએ કે આ દિવસે બજરંગબલીની પૂજા શા માટે કરવામાં આવે છે?
 
હકીકતમાં વાલ્મીનિ રામાયણ મુજબ કાર્તિક મહીનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને હનુમાનજીનો જન્મ થયુ હતું. આ દિવસે જ નરક ચતુર્દશી પણ ઉજવાય છે. તેથી માન્યતા છે કે નરક ચતિર્દશીના દિવસે જે પણ માણસ બજરંગબલીની પૂજા-અર્ચના કરે છે, તેના જીવનના બધા સંકટથી મુક્તિ મળે છે. આ જ કારણ છે કે આ દિવસે એટલે કે નરક ચતુર્દશીને બજરંગબલીની પણ પૂજા કરાય છે. 
 
બજરંગબલીને ખુશ કરવા માટે શું કરવું? 
નરક ચતુદર્શીના દિવસે એક નારિયેળ લેવુ અને તમારા માથા પરથી સાત વાર ઉતારીને બજરંગબલીને ચઢાવી દો. કહેવામાં આવે છે કે આવુ કરવાથી તમારા જીવનની દરેક પરેશાનીનો ઉકેલ થઈ જાય છે. તે સિવાય પીપલના પાનમાં "જય શ્રી રામ" લખીને તેની એક માળા બનાવો અને આ માળાને બજરંગબલીને પહેરાવો. તેનાથી કરિયરમા% થતી પરેશાનીઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે. 
 
આ ઉપાયોથી પણ થશે લાભ 
નરક ચતુદર્શીના દિવસે સૂર્યોદયથી પહેલા ઉઠીને તલના તેલથી માલિશ કરવી અને પાણીમાં તલ નાખી સ્નાન કરવું. નરક ચતુર્દશીના દિવસે સ્નાન કર્યા પછી માથા પર કંકુઅથી ચાંદલો લગાવી અને દક્ષિણ દિશાની તરફ મોઢુ કરીને તલના જળથી યમરાજનુ તર્પણ કરવું. તેનાથી નરકમાં મળતી પરેશાનીઓથી મુક્તિ મળે છે. 
 
શું ન કરવું? 
નરક ચૌદસને મંદિર, રસોડું, તુલસી, પીપળ, વડ કે આંબાના ઝાડ નીચે ગંદા ન કરો. આ દિવસે અહીં સાફ કરો અને દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને જીવનમાં શાંતિ રહે છે. આ દિવસે દીપદાનનું પણ ખૂબ મહત્વ છે.

Edited By- Monica sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

Health Tips: નાસ્તામાં ખાવ આ પૌષ્ટિક વસ્તુ, વિટામિનની ઉણપ થશે દૂર અને પાચન પણ રહેશે ઠીક

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

વધુ જુઓ..

નવીનતમ

Somwar Na Upay: સોમવારે બની રહ્યો છે ઉત્તરાષાઢા નક્ષત્ર કા સંયોગ, જરૂર કરો આ વિશેષ ઉપાય, જરૂર કરો આ ઉપાય મહાદેવ દૂર કરશે દરેક પરેશાની

Chaitra Navratri 2025:ચૈત્ર નવરાત્રીમાં ખરીદો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

આગળનો લેખ
Show comments