Festival Posters

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Webdunia
મંગળવાર, 22 ઑક્ટોબર 2024 (15:38 IST)
Guru Pushya Nakshatra 2024 - પુષ્ય નક્ષત્રનો સમય અત્યાધિક શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પુષ્ય નક્ષત્રને રાજા નક્ષત્ર કહેવામાં આવે છે અને આ દિવસે ખરીદવામાં આવેલી વસ્તુઓ ઘરમાં સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે. આ વિશેષ નક્ષત્રમાં કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવી ખૂબ લાભકારી માનવામાં આવે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે જે પુષ્ય નક્ષત્ર દરમિયાન ખરીદવામાં આવે તો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનુ આગમન થાય છે. પુષ્ય નક્ષત્ર 27 નક્ષત્રોમાંથી એક સૌથી શુભ નક્ષત્ર છે. જેનુ મહત્વ જ્યોતિષ અને હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં ખૂબ વધુ છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલ શુભ કાર્ય જેવી કે ખરીદી, નવા કાર્યની શરૂઆત કે રોકાણ લાભકારી માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર પર કરવામાં આવેલ કોઈપણ કાર્ય ભગવાનની કૃપાથી સફળ થાય છે. 
 
તો આવો જાણીએ કંઈ વસ્તુઓ ખરીદવી 
 
1. સોનુ અને ચાંદી ખરીદો 
પુષ્ય નક્ષત્ર દરમિયાન સોનુ અને ચાંદી ખરીદવુ અત્યાધિક શુભ માનવામાં આવે છે. આ ધાતુઓ ફક્ત ઘરેણાના રૂપમાં જ પહેરવામાં નથી આવતી પણ ધન અને સમૃદ્ધિના પ્રતિક માનાવામાં આવે છે. આ દિવસે સોના કે ચાંદીના ઘરેણા ખરીદવાથી ઘરમાં ઘનનુ આગમન થાય છે. 
 
2. વાહન ખરીદવુ 
જો તમે લાંબા સમયથી નવી ગાડી ખરીદવાનુ વિચારી રહ્યા છો તો પુષ્ય નક્ષત્ર તેનો સૌથી યોગ્ય સમય છે. આ સમયે વાહન ખરીદવાથી તમારુ જીવન આરામદાયક બનવા ઉપરાંત વાહનનો ઉપયોગ શુભ ફળ પ્રદાન કરશે. 
 
 
3. ઘર કે જમીનમાં રોકાણ - પુષ્ય નક્ષત્ર પર સંપત્તિ ખરીદવી કે નવુ ઘર લેવુ શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલ સંપત્તિની ખરીદી તમારા જીવનમાં સ્થાયિત્વ અને સમૃદ્ધિ લઈને આવે છે. 
 
4. પૂજન સામગ્રી અને ધાર્મિક વસ્તુઓ 
ધાર્મિક વસ્તુઓ જેવી કે મૂર્તિઓ, પૂજાના વાસણ, શંખ, ઘંટીઓ વગેરે પુષ્ય નક્ષત્રમાં ખરીદવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ ધાર્મિક સમૃદ્ધિની સાથે સાથે માનસિંક શાંતિ પણ પ્રદાન કરે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Thyroid છે તો આ 5 ફુડ્સ રોજ ખાવ, હોર્મોન બેલેન્સમાં રહેશે અને તમને મળશે અનેક ફાયદા

મસાલેદાર અને તીખા મરચાના ભજીયા માટે આ સીક્રેટ ટિપ્સ અજમાવો સ્વાદ બમણો થઈ જશે

Ubadiyan Recipe- વલસાડની પ્રખ્યાત વાનગી ઉબાડિયું

International Mens Day 2025- પુરુષ દિવસ પર, તમારા જીવનસાથીને એક એવું સરપ્રાઇઝ આપો જે તેમનું દિલ જીતી લે.

Motivational Quotes gujarati - ગુજરાતી મોટિવેશનલ સુવાક્યો

વધુ જુઓ..

નવીનતમ

Som Pradosh Vrat- પ્રદોષ વ્રત કથા

આ 4 નામની યુવતીઓનાં જ્યાં પડે છે પગલા, ત્યાં આવી જાય છે સુખ સમૃદ્ધિ, સાસરિયાના લોકો માટે સાબિત થાય છે ખૂબ જ લકી

આ 5 સંકેત મળતા બદલાય જાય છે ભાગ્ય, શરૂ થાય છે સારો સમય

Hindu Wedding Rituals - શાસ્ત્રો કહે છે કે દિવસે કરો હવન, તો રાત્રે લગ્ન કેમ થાય છે ? જાણો કેવી રીતે શરૂ થઈ રાત્રે લગ્નની પરંપરા, રસપ્રદ છે કારણ

Utpanna Ekadashi 2025: ઉત્પન્ન એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમારા પાપોનો થશે નાશ, જાણો તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments