Dharma Sangrah

Pusya nakshatra - 60 વર્ષ પછી બની રહ્યો છે ખરીદીનો શુભ સંયોગ, દિવાળી પહેલા ઘરમાં લઈ આવો આ વસ્તુ

Webdunia
મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (08:42 IST)
Dhanteras, Diwali 2021 Shopping Muhurat: ભારતમાં દીપાવલી અને ધનતેરસ જેવા તહેવારો પર ખરીદી કરવાની જૂની પરંપરા છે. આ વર્ષ દિવાળી અને ધનતેરસ પહેલા ખરીદી માટે ખૂબ જ શુભ મુહૂર બની રહ્યુ છે.. જ્યોતિષીઓના મતે દિવાળી પહેલા ખરીદી માટેનો મહામુહૂર્ત, ગુરુ પુષ્ય નક્ષત્ર, 60 વર્ષ પછી શનિ-ગુરુનો સંયોગ થશે અને પુષ્ય નક્ષત્રની શુભતા બળ મળશે.  આ દિવસે સવારે 6:33 થી 9:42 સુધી સર્વાર્થસિદ્ધિ યોગ પણ રચાશે. આ સમયગાળા દરમિયાન નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ સાબિત થશે.
 
કેમ ખાસ છે પુષ્ય નક્ષત્ર ? (Pusya nakshatra sayog for shopping)
 
જ્યોતિષમાં પુષ્યને નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. આ નક્ષત્ર પર શનિ અને ગુરુની વિશેષ કૃપા હોય છે. શનિને શક્તિ અને ઉર્જાના સ્વામી માનવામાં આવે છે, જ્યારે ગુરુ જ્ઞાન અને ધનનો કારક છે. આ વર્ષે, ગુરુવાર, 28 ઓક્ટોબર પુષ્ય નક્ષત્રના દિવસે, શનિ અને ગુરુ બંને મકર રાશિમાં વિરાજમાન થશે. આ સમયગાળા દરમિયાન નવી વસ્તુઓ ખરીદવાથી ઘરમાં શુભતા વધશે.
 
કયા ક્ષેત્રોમાં રોકાણ કરવાથી લાભ થશે ? 
 
જ્યોતિષના મુજબ શનિ-ગુરૂની આ યુતિનો વેપાર, ઉદ્યોગ અને કાર્યસ્થળ પર સારી અસર જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં, વીમા પોલિસી, વાહન, વિવિધ પ્રકારની યોજનાઓમાં રોકાણ, લોખંડ, સિમેન્ટ, તેલ કંપની, કાપડ, લાકડું અને ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલ વિવિધ  ક્ષેત્રમાં રોકાણ અથવા ખર્ચ કરવાથી લાભ મળશે. બીજી બાજુ, ગુરુની અનુકંપાથી શિક્ષા અને મેડિકલ સાયંસ જેવા ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. 
 
આ વસ્તુઓ ખરીદવાથી મળશે લાભ 
 
શનિ-ગુરૂના સંયોગથી બનેલા ગુરૂ પુષ્ય નક્ષત્રમાં ઘર, જમીન, સોના, ચાંદીના ઘરેણાં અથવા સિક્કા, ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, લાકડાની અથવા લોખંડની ફર્નિચર, ખેતી સાથે જોડાયેલ સામાન, પાણી કે બોરિંગની મોટર, વીમા પોલીસી, મ્યુચ્યુઅલ ફંડ અથવા શેર બજારમાં રોકાણ કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે છે. 
 
વહીખાતા ખરીદવા શુભ 
 
હિંદુ ધર્મમાં પુષ્ય નક્ષત્રના દિવસે કોઈપણ નવા કામ કે વેપારની શરૂઆત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જો તમે નવા પુસ્તકો અથવા પેન-દવા ખરીદો તો પણ તમારા કાર્યમાં શુભતા વધશે. પુસ્તકો અથવા પેન-દવા ખરીદ્યા પછી, તેમની વિધિવત પૂજા કરો. જો તમે ઈચ્છો તો ધાર્મિક પુસ્તકો પણ ખરીદી શકો છો.
 
60  વર્ષ પહેલા બન્યો હતો આવો સંયોગ 
 
જ્યોતિષશાસ્ત્રોનુ કહેવુ છે કે આ ગોચરમાં પુષ્ય નક્ષત્રનો સ્વામી અને ઉપસ્વામીની યુતિ લગભગ 60 વર્ષ પછી બની  રહી છે. આ પહેલા આ દુર્લભ સંયોગ 1961માં બન્યો હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

આ શિયાળામાં તમારા બાળકોને આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ચિલી ગાર્લિક વેજેસ ખવડાવો; તેને બનાવવાની સૌથી સરળ રીત શીખો.

Rani of Jhansi : ઝાંસી રાણી લક્ષ્મીબાઈનો છેલ્લો દિવસ, તેમનું મોત ખરેખર કેવી રીતે થયું હતું?

ચિયા સીડ્સ ને પાણી કે દૂધ ? કોની સાથે મિક્સ કરીને પીવાથી આરોગ્ય માટે વધુ લાભકારી

દીકરીઓ વિદાય સમયે ઘરના ઉંબરાની પૂજા કેમ કરે છે?

વધુ જુઓ..

નવીનતમ

Wednesday Mantra: તમારું કોઇપણ કામ ઝડપથી પાર પાડવા અને અવરોધોથી મુક્તિ માટે બુધવારે કરો ગણેશજીના આ મંત્રોનો જાપ

અમાસના દિવસે શું કરવું જોઈએ

Margashirsha Amavasya- ગ્રહદોષોથી મુક્તિ મેળવવા માટે માર્ગશીર્ષ અમાવાસ્યા પર આ ઉપાયો કરો.

હનુમાન માટે "ભગવાન" શબ્દનો ઉપયોગ કેમ નથી થતો?

Shani Sade Sati In 2026: વર્ષ 2026માં આ 3 રાશિના જાતકો પર રહેશે શનિની સાઢેસાતી, જાણો તે રાશિના નામ અને સાઢેસાતીથી રાહત માટે ઉપાય

આગળનો લેખ
Show comments