Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘુમાસણની યુવતીને અમેરિકા લઈ જવાના બહાને ગોંધી રાખી 3 લાખ ખંડણી વસૂલી

Webdunia
મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (08:35 IST)
મહેસાણા જિલ્લામાં કબૂતરબાજીમાં વસાઈ, લાંઘણજ, કડી બાદ નંદાસણ પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. કડી તાલુકાના ઘુમાસણ ગામની યુવતીને વર્ક પરમિટ પર અમેરિકા મોકલવાની લાલચ આપી ત્રણ શખ્સોએ કોલકાતામાં ગોંધી રાખી ધાકધમકી આપી રૂ.3 લાખ ખંડણી વસૂલી હતી. તેમજ વધુ પૈસા પડાવવા અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.

ઘુમાસણ ગામની હિરલબેન ભરતભાઈ પટેલને અમેરિકા જવાની ઇચ્છા હતી. જેના માટે તેમણે અમદાવાદના સુશીલ રોય અને સંતોષ રોયને કામ આપ્યું હતું. આ શખ્સોએ કોલકત્તાના કમલ સિંઘાનિયા સાથે મળી કેનેડાના કાયદેસરના વિઝા અપાવી ત્યાંથી અમેરિકા મોકલી આપવાના બહાના હેઠળ પૈસા પડાવવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું. ગત 26 ડિસેમ્બરે હિરલબેનને અમેરિકા મોકલવા માટે ઘુમાસણથી અમદાવાદ અને ત્યાંથી કોલકાતા લઈ ગયા હતા. તેની સાથે કડીની બીજી યુવતી પણ હતી. બંને યુવતીઓને કોલકત્તાની એક હોટલમાં ઉતારી બીજા દિવસે બીજી જગ્યાએ ફ્લેટમાં લઈ ગયા હતા. ત્યાં બીજા લોકોને ગોંધી રાખ્યા હતા. આ યુવતી પાસે કમલ સિંઘાનિયાએ આવી ધમકી આપી કેનેડા પહોંચી ગયાનો ફોન તેના પરિવાર સાથે કરાવી પૈસા મગાવતો હતો. ત્યાર બાદ યુવતી સહિત અન્ય પેસેન્જરોને દિલ્હી લઈ ગયા હતા. જ્યાંથી યુવતી સહિતના પેસેન્જરો 13 ફેબ્રુઆરીએ ઘરે આવી ગયા હતા. આ મામલે હિરલબેન પટેલે અમદાવાદના સુનિલ રોય, સંતોષ રોય અને કોલકત્તાના કમલ સિંઘાનિયા સહિત તેના સાગરિતો સામે નંદાસણ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત કરી અપહરણ કર્યા બાદ ખંડણી વસૂલવા મામલે ફરિયાદ નોંધાવી છે. વિદેશ જવા આંધળુકિયા કરતા લોકો માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

ફેનને કિસ કર્યા બાદ ઉદિત નારાયણનો જૂનો વીડિયો વાયરલ, કોને કર્યું કિસ?

વધુ જુઓ..

નવીનતમ

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

આગળનો લેખ
Show comments