Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરાટ કોહલીની ટીમ પાસે ઓલ-ટાઇમ ગ્રેટ ટીમ બનવાની તક: સુનીલ ગાવસ્કર

Webdunia
ગુરુવાર, 18 માર્ચ 2021 (16:11 IST)
સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) ને લાગે છે કે વિરાટ કોહલી (Virat Kohli) ની કપ્તાનીવાળી ભારતીય ટીમ પાસે સર્વકાલિન મહાન ભારતીય ટીમ (India Cricket Team) બનવાની તક રહેશે. ગાવસ્કર (Gavaskar) એ કહ્યુ કે જો ભારતીય ટીમ ઈગ્લેંડ  (India Tour of England) અને સાઉથ આફ્રિકામાં થનારી સીરીઝ જીતી લે છે તો તે ભારતની સર્વશ્રેષ્થ ટીમ રહેશે. પૂર્વ કપ્તાને સાઉથ આફ્રિકા  (South Africa) ને ભારત માટે સૌથી મોટો પડકાર બતાવ્યો કારણ કે આ દેશમાં ભારતે કોઈ શ્રેણી જીતી નથી. 
 
ભારતે તાજેતરમાં જ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ  (ICC World Test Championship) ના ફાઈનલમાં સ્થાન બનાવ્યુ છે.  અહી તેનો મુકાબલો ન્યુઝીલેંડ સાથે થવાનો છે. જો ભારત ન્યુઝીલેંડ (New Zealand) ને હરાવી દે છે તો તે વર્તમાન સમયમાં ટેસ્ટ ક્રિકેટની સર્વશ્રેષ્ઠ ટીમ હોવાનો રૂતબો હાસિલ કરી લેશે. 
 
ગાવસ્કર (Gavaskar) ના મુજબ આ ભારતીય ટીમમાં બેટ અને બોલ બંને દ્વારા મેચ વિનર હાજર છે અને આ જ વિશેષતા તેમને ભૂતકાળની ટીમોથી અલગ કરે છે. 
 
ગાવસ્કરે ટેલિગ્રાફ સાથેની વાતચીતમાં કહ્યું, 'એક જૂની કહેવત છે કે સુકાની અને કોચ એટલા જ સારા હોય છે જેટલી સારી તેમની ટીમ હોય છે અને આ વાત બિલકુલ સાચી છે. ભારતીય ટીમ પાસે બોલ અને બેટ બંને દ્વારા મેચ પલટનારા ખેલાડી છે.  આવો ભૂતકાળ ખૂબ ઓછી ભારતીય ટીમો સાથે રહ્યો છે. તેમની પાસે મોટી તક છે કે  તે ઈગ્લેંડ અને ખાસ કરીને સાઉથ આફ્રિકામાં જીત મેળવીને સર્વકાલિક મહાન ભારતીય ટીમ હોવાનુ સન્માન પ્રાપ્ત કરે. 
 
પૂર્વ ઓપનિંગ બેટ્સમેને કહ્યુ કે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં જીત મેળવ્યા પછી ભારતીય ટીમે  SENA દેશોમાં ફક્ત સાઉથ આફ્રિકા જ બાકી છે જયા તેણે જીત નથી મેળવી. ભારત હાલ ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન ટીમ છે. ઓસ્ટ્રેલિયા પછી ઈગ્લેંડને હરાવીને તેણે આ મુકામ મેળવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કચ્છ રણ ઉત્સવથી માત્ર 150 કિમીની અંદર છે, આ 3 સારા સ્થળો તમે મુલાકાત લઈ શકો છો

ગુજરાતી જોક્સ - રાયતા ફેલાવવા છે

ગુજરાતી જોક્સ - શ્રી કૃષ્ણ

ગુજરાતી જોક્સ - મૂર્ખ વકીલ

Shehnaaz Gill: ‘હુ શુ કરુ મરી જઉ ?' થી લઈને 'મે તેરી હીરોઈન હુ ...' સુધી આ છે શહેનાઝ ગિલના 7 ફેમસ ડાયલોગ

વધુ જુઓ..

નવીનતમ

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?

રામાયણની વાર્તા: ભગવાન રામનું મૃત્યુ

Kitchen Tips- કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે, અજમાવો આ જાદુઈ કિચન ટ્રિક્સ

આગળનો લેખ
Show comments