Webdunia - Bharat's app for daily news and videos

Install App

એશિયા કપ અને ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ જાહેર, યુવરાજને ફરી મળી તક

Webdunia
શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2016 (15:04 IST)
શુક્રવારે ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનુ એલાન કરવામાં આવ્યુ. દિલ્હીમાં થયેલ બીસીસીઆઈની પસંદગી સમિતિની બેઠકમાં ટૂર્નામેંટ માટે 15 ખેલાડીઓના નામની જાહેરાત થઈ. બીસીસીઆઈની બેઠક પછી અનુરાગ ઠાકુરે ટીમ ખેલાડીઓના નામની જાહેરાત કરી. 
 
મોહમ્મદ શમી અને પવન નેગીને ટી20 વિશ્વ કપ માટે ભારતીય ટીમમા લેવામાં આવ્યા. સાથે જ હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને પણ ટી20 વર્લ્ડકપમાં લેવામાં આવ્યા. યુવરાજ સિંહ, હરભજન સિંહ અને આશીષ નેહરા જેવા વરિષ્ઠ ખેલાડીઓને પણ ટી20 વિશ્વકપ ટીમ માટે ભારતીય ટીમમા સ્થાન મળ્યુ છે. યુવરાજ, આશીષ નેહરા અને હરભજન સિંહને એક વાર ફરી તક આપવામાં આવી છે. ટીમમા નવા ચેહરાના રૂપમાં પવન નેગી એકમાત્ર ખેલાડી છે. 
 
ટીમમાં કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન, રવિન્દ્ર જડેજા, જસપ્રીત બૂમરા, સુરેશ રૈના, આર અશ્વિન, અજિંક્ય રહાણે, આશીષ નેહરા, હાર્દિક પંડ્યા, હરભજન સિંહ, પવન નેગી, યુવરાજ સિંહ, મોહમ્મદ શામીની પસંદગી કરવામાં આવી છે. મનીષ પાંડેને ટીમમા સ્થાન મળ્યુ નથી. જ્યારે કે મોહમ્મદ શમી અને પવન નેગીને ટીમમાં લેવામાં આવ્યા છે. બંને ટૂર્નામેંટ માટે એક જ ટીમની પસંદગી કરવામાં આવી છે. જેમા કપ્તાન તરીકે મહેન્દ્ર સિંહ ધોની રહેશે. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments