Webdunia - Bharat's app for daily news and videos

Install App

Odisha Train Accident: વીરેન્દ્ર સહવાગ કરશે મોટી મદદ, મૃતકોના બાળકોને મફત શિક્ષણ આપવાની કરી વાત

sehvag
Webdunia
સોમવાર, 5 જૂન 2023 (12:07 IST)
Virender Sehwag:  ઓડિશાના બાલાસોરમાં ગયા શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો. આ ઓડિશાના બાલાસોરમાં ગયા શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો. આ ભારતીય રેલના ઈતિહાસમાં સૌથી મોટી દુર્ઘટનામાંથી એક હતી. વર્તમાન આંકડાના હિસાબથી આ દુર્ઘટનામાં 275થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. બીજી બાજુ ઘાયલોની સંખ્યા 1100ના પાર પહોચી ગઈ છે. દુર્ઘટના બાદ લોકો પોત પોતાની રીતે મદદ માટે આગળ આવી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ખેલાડી વીરેન્દ્ર સહેવાગે મદદ માટે પોતાના હાથ આગળ કર્યા છે. 

<

This image will haunt us for a long time.

In this hour of grief, the least I can do is to take care of education of children of those who lost their life in this tragic accident. I offer such children free education at Sehwag International School’s boarding facility pic.twitter.com/b9DAuWEoTy

— Virender Sehwag (@virendersehwag) June 4, 2023 >
વીરેન્દ્ર સહવાગે એક ટવીટ કરીને દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા આ વાતની માહિતી આપી કે આ દુખની ઘડીમાં રેલ દુર્ઘટનામાં જીવ ગુમાવઅનરા મૃતકોના બાળકોને મફત અભ્યાસ પ્રદાન કરશે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ, "આ તસ્વીર આપણને લાંબા સમય સુધી પરેશાન કરશે. દુખની આ ક્ષણમાં ઓછામાં ઓછુ આટલુ તો કરી શકુ છુ કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોના અભ્યાસનુ ધ્યાન રાખુ. હુ આવા બાળકોને સહવાગ ઈંટરનેશનલ સ્કુલની બોર્ડિગ સુવિદ્યામાં મફત અભ્યાસ આપવાની રજુઆત કરુ છુ. 
 
આ ઉપરાંત સહવાગે દુર્ઘટનાં રેસ્ક્યુ કરનારા લોકોને લઈને મેડિકલ સુધી બધાને આ કામ માટે સલામ કર્યુ. આ દુર્ઘટનાએ બધાને ઝકઝોરી નાખ્યા છે. દુર્ઘટનાથી આખા દેશમાં શોકની લહેર છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના ત્રણ ટ્રેન પરસ્પર અથડાવાથી થઈ છે. સૌથી પહેલા કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે સાંજે લગભગ 7 વાગે બાલાસોરના બાહાનગા બજાર સ્ટેશન પાસે ઉભેલી એક માલગાડી સાથે અથડાઈ. જેને કારણે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.
 
આ દરમિયાન ત્યાથી પસાર થનારી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ ત્યા પહેલાથી પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસ ડબ્બા સાથે ટકરાઈ. આ રીતે આ દર્દનાક દુર્ઘટના બની.  આ રીતે ત્રણ ટ્રેન પરસ્પર ટકરાતા દુર્ઘટનામાં 275થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે કે ઘાયલ થનારા લોકોને સંખ્યા 1100ને પાર પહોચી ગઈ.  આ ભારતમાં થયેલ મોટા રેલ અકસ્માતોમાંથી એક હતી.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

વધુ જુઓ..

નવીનતમ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

આગળનો લેખ
Show comments