Webdunia - Bharat's app for daily news and videos

Install App

Odisha Train Accident: વીરેન્દ્ર સહવાગ કરશે મોટી મદદ, મૃતકોના બાળકોને મફત શિક્ષણ આપવાની કરી વાત

Webdunia
સોમવાર, 5 જૂન 2023 (12:07 IST)
Virender Sehwag:  ઓડિશાના બાલાસોરમાં ગયા શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો. આ ઓડિશાના બાલાસોરમાં ગયા શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો. આ ભારતીય રેલના ઈતિહાસમાં સૌથી મોટી દુર્ઘટનામાંથી એક હતી. વર્તમાન આંકડાના હિસાબથી આ દુર્ઘટનામાં 275થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. બીજી બાજુ ઘાયલોની સંખ્યા 1100ના પાર પહોચી ગઈ છે. દુર્ઘટના બાદ લોકો પોત પોતાની રીતે મદદ માટે આગળ આવી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ખેલાડી વીરેન્દ્ર સહેવાગે મદદ માટે પોતાના હાથ આગળ કર્યા છે. 

<

This image will haunt us for a long time.

In this hour of grief, the least I can do is to take care of education of children of those who lost their life in this tragic accident. I offer such children free education at Sehwag International School’s boarding facility pic.twitter.com/b9DAuWEoTy

— Virender Sehwag (@virendersehwag) June 4, 2023 >
વીરેન્દ્ર સહવાગે એક ટવીટ કરીને દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા આ વાતની માહિતી આપી કે આ દુખની ઘડીમાં રેલ દુર્ઘટનામાં જીવ ગુમાવઅનરા મૃતકોના બાળકોને મફત અભ્યાસ પ્રદાન કરશે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ, "આ તસ્વીર આપણને લાંબા સમય સુધી પરેશાન કરશે. દુખની આ ક્ષણમાં ઓછામાં ઓછુ આટલુ તો કરી શકુ છુ કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોના અભ્યાસનુ ધ્યાન રાખુ. હુ આવા બાળકોને સહવાગ ઈંટરનેશનલ સ્કુલની બોર્ડિગ સુવિદ્યામાં મફત અભ્યાસ આપવાની રજુઆત કરુ છુ. 
 
આ ઉપરાંત સહવાગે દુર્ઘટનાં રેસ્ક્યુ કરનારા લોકોને લઈને મેડિકલ સુધી બધાને આ કામ માટે સલામ કર્યુ. આ દુર્ઘટનાએ બધાને ઝકઝોરી નાખ્યા છે. દુર્ઘટનાથી આખા દેશમાં શોકની લહેર છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના ત્રણ ટ્રેન પરસ્પર અથડાવાથી થઈ છે. સૌથી પહેલા કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે સાંજે લગભગ 7 વાગે બાલાસોરના બાહાનગા બજાર સ્ટેશન પાસે ઉભેલી એક માલગાડી સાથે અથડાઈ. જેને કારણે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.
 
આ દરમિયાન ત્યાથી પસાર થનારી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ ત્યા પહેલાથી પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસ ડબ્બા સાથે ટકરાઈ. આ રીતે આ દર્દનાક દુર્ઘટના બની.  આ રીતે ત્રણ ટ્રેન પરસ્પર ટકરાતા દુર્ઘટનામાં 275થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે કે ઘાયલ થનારા લોકોને સંખ્યા 1100ને પાર પહોચી ગઈ.  આ ભારતમાં થયેલ મોટા રેલ અકસ્માતોમાંથી એક હતી.  

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments