Webdunia - Bharat's app for daily news and videos

Install App

સચીન તેંદુલકર ગુજરાતની અસ્મીતા સમાન કચ્છની મુલાકાતે

Webdunia
બુધવાર, 31 જાન્યુઆરી 2018 (12:21 IST)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર આજે બુધવારે સવારે કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા હતા. વહેલી સવારે પત્ની સાથે સચિન ભુજ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ચાહકોમાં સચિનના આગમને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. એરપોર્ટ પર જાણ થતાં જ ક્રિકેટ રસિકો દોડી ગયા હતા અને દૂરથી ક્રિકેટના ભગવાનના દર્શન કર્યા હતા. પરંતુ તેઓ મુંબઈથી સીધા ફ્લાઈટમાં ભુજ એરપોર્ટ આવીને માંડવી રવાના થયા હતા. માંડવી બીચ પર આવેલાં સેરેના બીચ રિસોર્ટ પર તેઓ રોકાણ કરવાના છે.

સચિન પત્ની સાથે એક દિવસીય કચ્છ પ્રવાસે છે. રાજ્યસભાના સાંસદ અને ભારત રત્નનું બિરુદ મેળવી ચુકેલા સચિનની મુલાકાતને લઇ સ્થાનિક ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છવાઇ ગયો હતો. સચિન સપરિવાર કચ્છ ફરવા આવ્યા છે. સચિનની આ મુલાકાત સંપુર્ણ અંગત છે. તેથી પોતાની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે સચિને રિસોર્ટના સંચાલકોને પણ સ્પષ્ટ લેખિત તાકીદ કરી છે. સચિનની એક ઝલક નિહાળવા તેના ચાહકો બેતાબ રહ્યા હતા. જો કે, સચિનની આ મુલાકાત સંપુર્ણ અંગત હોવાથી ક્રિકેટ ચાહકોને એક ઝલક નિહાળવા માટે તરસવું પડ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન આજે આખો દિવસ કચ્છમાં રહી રાત્રિ રોકાણ સેરેના રિસોર્ટમાં કરીને ગુરૂવારે પરત હવાઈમાર્ગે રવાના થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments