Webdunia - Bharat's app for daily news and videos

Install App

વધી જશે વનડેનો રોમાંચ, ICCએ કર્યા નિયમોમાં ફેરફાર

Webdunia
શનિવાર, 27 જૂન 2015 (16:30 IST)
વનડે ક્રિકેટના રોમાંચને અને  વધારવા માટે આઈસીસીએ વનડે ક્રિકેટના નિયમોમાં અનેક મુખ્ય ફેરફાર કર્યા છે. હવે પહેઅલની જેમ વનડેમાં પાવરપ્લે નહી રહે. આઈસીસીએ આ કદમ બોલ અને બેટ વચ્ચે સંતુલન બેસાડવા માટે કર્યો છે. 
 
નવા નિયમ બધી વનડે મેચોમાં 5 જુલાઈથી લાગૂ થઈ જશે.  બારબાડોસમાં આઈસીસીના વાર્ષિક સંમેલન દરમિયાન પાવરપ્લેને બેટિંગ પરથી હટાવવાની સાથે બોલરોને રાહત આપતા ફિલ્ડિંગમાં પણ મુખ્ય ફેરફાર કર્યો છે. નવા નિયમો હેઠ્ળ શરૂઆતના 10 ઓવરમાં 30 ગજના ઘેરેમાં ફિલ્ડરને લગાવાતી રોક હવે ખતમ કરવામાં આવી છે. આ ઉપરાંત 10 ઓવર પછી ઘેરાની બહાર પાંચ ફિલ્ડરોને લગાવવાની અનુમતિ આપવામાં આવી છે.  જ્યારે કે પહેલા ચાર ફિલ્ડર લગાવવાની અનુમતિ હતી. 
 
આ ઉપરાંત એક વધુ મોટો ફેરફાર કરતા આઈસીસીએ એ પણ નક્કી કર્યુ છે કે હવે બોલરોએ બધા પ્રકારના નો બોલ પછી બેટ્સમેનોને ફ્રી હિટ આપવામાં આવશે.  આઈસીસી બેટની સાઈઝ અને તેના વજન વિશે પણ વિચાર કરી રહી છે.  આ સાથે જ બોલના આકારમાં પણ કેટલાક ફેરફાર કરી શકાય છે. જેનાથી બોલરોને પણ થોડો ફાયદો મળી શકે. 
 
આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડસને કહ્યુ કે આઈસીસી વિશ્વ કપની સફળતા પછી વનડેના રોમાંચને વધુ વધારવા માટે અમે આ પ્રારૂપની સમીક્ષા કરી. જો કે તેમા વધુ ફેરફારની જરૂર નથી. આ રમતનું સૌથી લોકપ્રિય પ્રારૂપ છે. તેથી તેને સૌની સમજમાં આવે તેવો બનાવવો જોઈએ. આ ઉપરાંત આ ફેરફાર બોલ અને બેટની વચ્ચે સંતુલન બેસાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Summer Health Hacks : ગુજરાતમાં લૂ નો પ્રકોપ, આ 5 સહેલા ઉપાયથી આ ગરમીમાં ખુદને રાખો સુરક્ષિત

Air Conditioner - એસીમાં શું હોય છે ટનનુ મતલબ, એસી કેવી રીતે કામ કરે છે

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

શાહરૂખખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતા અમદાવાદની KD હોસ્પિટલમાં દાખલ કરાયા

ગુજરાતી જોક્સ- મજેદાર જોકસ જ જોક્સ

Pahle bharat Ghumo- Goa જાણો ગોવામાં 5 દિવસના હનીમૂન માટે કેટલો ખર્ચ થશે

Katrina Kaif Pregnant - જલ્દી જ માતા બનવાની છે કટરીના કેફ, લંડનથી વાયરલ થયો વીડિયો, ત્યા જ થઈ શકે છે ડિલીવરી

Lok Sabha Elections: મિદનાપુરમાં મિથુન ચક્રવર્તીના રોડ શો પર થયો હુમલો, TMC સમર્થકોએ ફેંકી બોટલો

Show comments