Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોહલી મુદ્દે ગાંગુલીનો સૌથી મોટો ખુલાસો

Webdunia
મંગળવાર, 5 ડિસેમ્બર 2023 (13:53 IST)
બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલી સાથે થયેલ કૈપ્ટૈસી વિવાદ પર એકવાર ફરી સાર્વજનિક વાત કરી છે. ગાંગુલીએ કહ્યુ કે તેમણે કોહલીને કપ્તાની પદ પરથી નથી હટાવ્યા. વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ 2021 પ છી સૌથી નાના ફોર્મેટની કપ્તાની પદ પરથી હટવાનો નિર્ણય કર્યો હતો અને વનડે અને ટેસ્ટ ટીમની કમાન સાચવવાની ઈચ્છા જાહેર કરી હતી. પણ બીસીસીઆઈ કોહલીના નિર્ણયથી ખુશ નહોતી. ગાંગુલીએ કહ્યુ કે તેમને કોહલીને ટી20 પછી વન ડેની કપ્તાની પણ છોડવાની વાત જરૂર કરી હતી.  તેઓ ઈચ્છતા હતા કે ટી20 અને વનડેમાં એક જ કપ્તાન રહે. 
 
સૌરવ ગાંગુલીએ રિયાલિટી શો દાદાગીરી અનલિમિટેડની 10મી સીજનના એક વીડિયો પર કહ્યુ કે મે વિરાટ કોહલીને કપ્તાની પદ પરથી નથી હટાવ્યા. હુ આ વાત અનેકવાર કહી ચુક્યો છુ. તેઓ પોતે જ ટી20 લીડ કરવા માંગતા નહોતા. તેથી મે તેમને કહ્યુ કે જો તમે ટી20 લીડ નહોતા કરવા માંગતા તો તમે સમગ્ર વ્હાઈટ બોલ ક્રિકેટની કપ્તાની છોડી દો. એક વ્હાઈટ બોલ અને એક રેડ બોલવાળા કપ્તાન રહેવા દો. 
 
બંનેના નિવેદનોમાં હતો વિરોધાભાસ 
ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જતા પહેલા કોહલીના એક નિવેદનથી હડકંપ મચી ગયો હતો. ગાગુલી કહી રહ્યા હતા કે કોહલી સાથે વાત ક ર્યા બાદ તેમને કપ્તાની પદ પર થી હટાવ્યા. જ્યારે કે વિરાટ કોહલીનુ નિવેદન તેનાથી ઉંઘુ હતુ. કોહલીએ કહ્યુ કે જ્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટેસ્ટ ટીમ પસંદ કરવામાં આવી રહી હતી ત્યારે તેમને મીટીંગમાં બોલાવાયા. 
 
 વિવાદ વધતા છોડી દીધી કપ્તાની 
કોહલીએ કહ્યુ કે પસંદગીકારો સાથે ટેસ્ટ ટીમ પર ચર્ચા થઈ હતી પણ મીટિંગ પછી મને વનડે ટીમની કપ્તાની પરથી હટાવવાનો નિર્ણય લેવાયો.  સિલેક્ટર્સના નિર્ણય પર મે હા પાડી. ત્યારબાદ વિવાદ  વધ્યો તો કોહલીએ સાઉથ આફ્રિકાના પ્રવાસ પછી જ ટેસ્ટની કપ્તાની પણ છોડી દીધી અને પછી રોહિત શર્માને ત્રણેય ફોર્મેટના કપ્તાન બનાવવામાં આવ્યા. 

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments