Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત ઓછામાં ઓછા નિયંત્રણો, મહતમ સાવધાની સાથે ખુલે તેવી શક્યતાઓ

Webdunia
શનિવાર, 16 મે 2020 (16:41 IST)
ગુજરાતમાં કોરોના અમદાવાદના બ્રિટન, વડોદરા ત્રણ મહાનગરોમાં સૌથી વ્યાપક હોવાની સાથે એકંદરે સતત નવ દિવસથી 300 થી વધુ કેસ નોંધાયા છે પણ રાજય સરકારે હવે મર્યાદીત ક્નટેન્મેન્ટ ક્ષેત્ર સિવાય આર્થિક પ્રવૃતિ ચાલુ કરવા માટે મંજુર આપવા તૈયારી કરી છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમાં લોકડાઉન લંબાવવા મુદે બે દિવસમાં શ્રેણીબદ્ધ બેઠકો કરી છે અને કેન્દ્ર સાથે પણ સતત સંપર્કમાં છે તથા આજે કેન્દ્રીય ગાઈડલાઈન આપ્યા બાદ તેના પરથી ગુજરાતમાં લોકડાઉન-4નું માળખું રચાશે પણ રાજયમાં વ્યાપક છૂટછાટ હશે તે નિશ્ચિત છે. મુખ્યમંત્રીએ બે દિવસ પુર્વે જ જે ધિરાણ યોજના જાહેર કરી છે તેનો મહતમ લાભ આપવાની યોજના છે જે તા.21થી શરૂ થશે. 
 
રાજયમાં ક્નટેન્મેન્ટ સિવાય બસ સેવા સોશ્યલ ડીસ્ટન્સ સાથે ચાલુ થઈ શકે છે. શહેરોની આંતરિક બસ સેવા પણ આ જ રીતે ચાલુ થશે. બજારો દિવસના મર્યાદીત કલાકો છૂટછાટ અપાશે અને રાત્રીના બંધનો યથાવત રહેશે તો રેસ્ટોરાને ટેઈક હોમ ડીલીવરીની છૂટ અપાશે. રાજય સરકાર તમામ તકેદારી સાથે ગુજરાત ફરી ધમધમતુ થાય તે જોશે. જો કે મોલમાં કઈ રીતે છૂટ આપવી તે પ્રશ્ર્ન છે. તેમાં રાહતની શકયતા છે. જેમાં મોલ સંચાલકો માટે નિયમો બનાવશે અને લીફટ ચાલુ કરવાની મંજુરી નહી આપે. પોલીસ હવે ‘પાસ’ નહી સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા ભીડ ન થાય જેવા અમલમાં વધુ વ્યસ્ત હશે. જો કે ધાર્મિક, સામાજીક કે અન્ય કોઈ મેળાવડા પરના પ્રતિબંધ યથાવત રહેશે અને બગીચાઓ કે જાહેર સ્થળો તા.31 મે સુધી બંધ જ રહેશે.
 
 

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments