Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં આંતરિક પ્રવાસની છૂટ, જાણો કયા નિયમો પાળવા પડશે?

Webdunia
મંગળવાર, 5 મે 2020 (16:05 IST)
ગુજરાતમાં લોકડાઉન દરમિયાન કામ-ધંધાથી અમદાવાદ-સુરત સહિતના મોટા જિલ્લાઓમાં આવેલા અને લોકડાઉનને કારણે આ જિલ્લાઓમાં ફસાયેલા લોકો માટે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. લોકડાઉન દરમિયાન આ જિલ્લાઓમાં ફસાયેલા લોકો હવે પોતોના વતન પરત જઈ શકશે. ગુજરાત સરકારે રાજ્યમાં આંતરિક પ્રવાસની છૂટ આપી દીધી છે. આવતી કાલથી વતન પરત જવા ઇચ્છતા લોકો જે તે જિલ્લાના કલેક્ટરને ઓનલાઇન અરજી કરી શકશે. તેમજ પરમ દિવસથી લક્ઝરી મારફત વતન જવા માટે મંજૂરી આપવામાં આવશે. શરૂઆતમાં માત્ર લક્ઝરી બસને પરિવહન માટે મંજૂરી આપવામાં આવી છે. તેમજ પરમિશન વગર કોઇ પણ વ્યક્તિ ખાનગી વાહનોમાં પ્રવાસ કરી શકશે નહીં. આ અંગે ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાએ માહિતી આપી હતી.ગુજરાત સરકારના આ નિર્ણયને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ફસાયેલા લોકોને મોટો ફાયદો થશે. સુરતમાં 12 લાખ રત્નકલાકારો હવે વતન પરત ફરી શકશે. વધુ વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે. વતન જવા માંગતા લોકોએ અન્ય બીજી શરતોનું પાલન કરવાનું રહેશે. જે અંગેની માર્ગદર્શિકા હવે જાહેર કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments