Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમે કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં છો કે નોન-કન્ટેઈનમેન્ટ ઝોનમાં, અહી જાણો

Webdunia
મંગળવાર, 19 મે 2020 (19:34 IST)
ગુજરાતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 11 હજારથી વધુ  કેસ નોંધાયા છે જ્યારે 600થી વધુ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે લોકડાઉન 4.0 માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. 
 
જેમાં ગુજરાતને કન્ટેઈન્મેન્ટ ઝોન અને નોન-કન્ટેઈન્મેન્ટ ઝોન એમ બે વિભાગમાં વહેંચીને કોરોના વાયરસના સંક્રમણને કાબૂમાં રાખવા સહિત રાજ્યની આર્થિક ગતિવિધિઓ અને રોજિંદા જીવન વ્યવહારની પ્રવૃત્તિઓ માટેની નવી ગાઈડલાઈનની માહિતી આપી હતી. આજે તારીખ 19 મે, મંગળવારથી તારીખ 31 મે, રવિવાર સુધી આ નવી ગાઈડલાઈનનો રાજ્યમાં અમલ કરવામાં આવશે.
 
<p>મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં લોકડાઉન 4.0 સંબંધિત નવી ગાઈડલાઈન્સ વિશે વાત કરતા જણાવ્યું કે ગુજરાતમાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. કન્ટેઈન્મેન્ટ ઝોનની યાદી કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યાના આધારે ફેરફારને પાત્ર રહેશે. અને તેનો સતત રીવ્યું કરવામાં આવશે.</p>
 
રાજ્યમાં કન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારમાં સવારના 8થી બપોરના 3 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટે છૂટ આપવામાં આવશે. તેમજ કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી વેપાર-ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે. તો ચાલો જાણીએ અમદાવાદના કયા વિસ્તારો કન્ટેઈનમેન્ટ અને નોન કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવેલા છે.
 
અમદાવાદ શહેરના કુલ 10 વોર્ડને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર
ખાડિયા
જમાલપુર
શાહપુર, દરિયાપુર
દાણીલીમડા
બહેરામપુરા, અસારવા
ગોમતીપુર
સરસપુર 
મણિનગર વોર્ડને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાયના વિસ્તારો નોન-કન્ટેઈનમેન્ટ ઝોન છે.
 
આજે તારીખ 19 મે, મંગળવારથી તારીખ 31 મે, રવિવાર સુધી કન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારમાં સવારના 8થી બપોરના 3 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટે છૂટ આપવામાં આવશે. અહીં નોંધનીય છે કે કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયેલા વિસ્તારોમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધુ છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં અને તેમાં પણ ખાસ કરીને જૂના અમદાવાદ એટલે કે કોટ વિસ્તારોના વોર્ડ કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ છે.

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments