શુક્રવારે ગુજરાતમાં કોરોનાવાયરસના 949 નવા કેસ નોંધાયા હોવાથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 46,516 થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી. વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે ગુરુવારે સાંજે રાજ્યમાં 17 દર્દીઓનાં મોત થયાં છે. નિવેદનમાં જણાવ્યા અનુસાર 770 લોકોને રિકવરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, ત્યારબાદ સંક્રમણથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 32,944 થઈ ગઈ છે.
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 177, અમદાવાદ કોર્પોરેશનમાં- 166, વડોદરા કોર્પોરેશનમાં-64, સુરત -57, ભરુચ 47, રાજકોટ કોર્પોરેશન 35, નવસારી- 30, ભાવનગર કોર્પોરેશન 25, રાજકોટ- 23, ખેડા- 21, મહેસાણા 21, ભાવનગર- 19, ગાંધીનગર- 19, જુનાગઢ 19, અમદાવાદ-18, વલસાડ- 17, દાહોદ- 15, કચ્છ- 15, પાટણ- 15, જુનાગઢ કોર્પોરેશન- 14, ગાંધીનગર કોર્પોરેશન - 13, ગીર સોમનાથ-13, જામનગર કોર્પોરેશન 13, સુરેન્દ્રનગર -13, વડોદરા -13, સાબરકાંઠા- 12, બનાસકાંઠા- 11, પંચમહાલ-10, આણંદ- 8, મોરબી-5, તાપી-5, બોટાદ- 4, અમરેલી-3, જામનગર-3, મહીસાગર-3, છોટા ઉદેપુર-1, દેવભૂમિ દ્વારકા- 1 અને નર્મદામાં 1 કેસ સામે આવ્યો છે.
07:02 PM, 18th Jul
ભરૂચ કોરોના અપડેટ
ભરૂચ નગર પાલિકા ના 3 કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત
2 સફાઈ કર્મચારી અને એક ઓફીસ સ્ટાફને દસ્તક દીધી કોરોનાએ
ટાઉન હોલ ની બાજુમાં વોર્ડ નંબર 4 માં 2 સફાઈ કર્મી તેમજ સમાજ સંગઠક અધિકારીને સિવિલમાં દાખલ કરાયા
07:01 PM, 18th Jul
પાટણ બ્રેકિંગ
- વિસ્વં કોરોના મહામારી મામલો
- પાટણ જિલ્લામાં કોરોના ના વધુ 8 કેસ સામે આવ્યા
- પાટણ માં 6 , સિદ્ધપુર શહેર માં 1 - સમી ખાતે 1 એક એક કેસ નોંધાયા
- 5 પુરુષ અને 3 મહિલા ને કોરોના
- તમામ દર્દીઓ ને સારવાર અર્થે ખસેડયા
- પાટણ જિલ્લામાં કોરોનાનો આંક 406 ને પાર થયો
07:00 PM, 18th Jul
સુરત બ્રેકિંગ
સુરત ગ્રામ્ય માં કોરોના વિસ્ફોટ
આજે વધુ 92 કેસ નોંધાતા ફફડાટ
ગ્રામ્યમાં 24 કલાકમાં 3 મોત
કામરેજ બે અને બારડોલીમાં 1નું મોત
મૃત્યુઆંક 57 પર પોહચ્યો
અત્યાર સુધીમાં કામરેજમાં સૌથી વધુ મોત થઈ
07:00 PM, 18th Jul
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરીનાનો વધુ એક પોઝિટિવ કેસ