Dharma Sangrah

ગુજરાતમાં 1.45 લાખ પાર પહોંચી કોરોના સંક્રમિતોની સંખ્યા, નવા 1335 કેસ અને 10 લોકોના મોત

Webdunia
ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (10:44 IST)
રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 1335 કેસ સામે આવ્યા છે અને 10 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે 1473 લોકો સાજા થયા હતા તેમને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. રાજ્યમાં 10 લોકોના મોત થયા હતા જેમાં સુરતમાં 4 લોકોના, અમદાવાદમાં 3 લોકોના, ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં 1-1 લોકોનો મોત થયા હતા. 
 
ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 47,54,655 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,45,362 લોકોના કોરોના સંક્રમિત મળી આવ્યા છે. કુલ 3,522 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. 
 
રાજ્યમાં અત્યાર સુધી 1,25,243 લોકો સાજા થયા છે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 16597 એક્ટિવ કેસ છે જેમાંથી 91 લોકો હાલત નાજુક છે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.  
 
અમદાવાદમાં 37998 કેસ અને 1832 લોકોના મોત, સુરતમાં 30852 કેસ અને 793 લોકોના મોત, વડોદરામાં 12860 કેસ ને 194 લોકોના મોત, રાજકોટમાં 10174 કેસ અને 146 લોકોના મોત, જામનગરમાં 6633 કેસ અને 35 લોકોના મોત, ગાંધીનગરમાં 2920 કેસ અને 79 લોકોના મોત, ભાવનગરમાં 4365 કેસ અને 67 લોકોના મોત થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

આગળનો લેખ
Show comments