Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના લક્ષણો જેને જલ્દી અસર કરે તેવા લોકોને ઘરમાં ક્વોરન્ટીનની પદ્ધતિ અપનાવાશે

Webdunia
બુધવાર, 10 જૂન 2020 (12:06 IST)
ગુજરાતમાં કોરોના કાબુમાં આવતો નથી અને દિનપ્રતિદિન ફેલાતો જાય છે. ખાસ કરીને અમદાવાદમાં તો કોરોના કહેર મચાવી રહ્યો છે, ત્યારે હવે કોરોનાને કાબુમાં લેવા રાજ્ય સરકારે રિવર્સ ક્વોરન્ટીન પધ્ધતિ અપનાવવાની તૈયારી કરી દીધી છે. જેમાં એક કરતાં વધુ બીમારી ધરાવનાર અને વૃધ્ધોને ઘરમાં જ ક્વોરન્ટીન કરવામાં આવશે. ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસ વધી ૨હ્યા છે અને ખાસ કરીને અમદાવાદમાં તો મોટી ઉંમ૨ના લોકો કે જેઓ અન્ય બીમારીથી પીડાતા હોય છે. તેઓને કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ તેમના જીવન પ૨ જોખમ વધે છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો મૃત્યુદ૨ 6.9 સુધી પહોંચી ગયો છે. જેમાં અન્ય રોગથી પીડાતા લોકોનું કોરોનાથી થયેલ મૃત્યુનું પ્રમાણ વધુ છે, તેથી અમદાવાદમાં હવે દરેક સોસાયટીમાં અને મહોલ્લામાં જેઓ અન્ય રોગથી પીડાતા હોય જેમ કે ડાયાબીટીસ, હાઈબીપી તથા કેન્સ૨ તેઓને તેમના ઘ૨માં જ ક્વોરન્ટીનમાં જ રાખવા જણાવાયું છે. જોકે તેમને કોરોનાના કોઈ લક્ષણ નથી પરંતુ સંક્રમણથી બચાવવા આ રીવર્સ ક્વોરન્ટીનની પધ્ધતિ અપનાવી છે. રાજ્યના આરોગ્ય અધિકારીએ પણ કહ્યું હતું કે, કોરોના વાય૨સ સામે લડતા 90 દિવસ થયા છે અમે કોરોના સામે સંપૂર્ણ સજ્જ છીએ. રોજ સાંજે કોરોનાના મુદ્દે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની બેઠક મળે છે. જેમાં પરિસ્થિતિ અનુસાર નિર્ણયો લેવામાં આવે છે.
 
 

સંબંધિત સમાચાર

વઘારેલું દહીં તમારા ઘરના મહેમાનોને ખવડાવીને પ્રભાવિત કરો, તે મિનિટોમાં તૈયાર થઈ જશે.

World earth Day વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે પૃથ્વીના સંરક્ષણની પ્રતિજ્ઞા લો

Cold Facial- ઉનાળામાં ઘરે જ કરો ફેશિયલ ચેહરા પર આવશે ચમક

Quick Recipe: ડુંગળી અને કાકડી સાથે ઝડપથી સ્વાદિષ્ટ સેન્ડવીચ તૈયાર કરો

પેટ ઓછું કરવા માટે આ યોગ આસન દરરોજ 10 મિનિટ કરો.

જોક્સ- બીજી પણ એક બેસી શકે

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત, લાઈવ સેશન રદ્દ કરી હોસ્પિટલ પહોચ્યા વિવેક દહિયા

Teacher students jokes- સૌથી વધુ નશો

આગળનો લેખ
Show comments