rashifal-2026

ગુજરાતમાં 10 દિવસમાં 256 મોત, હવે રોજના 25થી 30 મોત થાય છે

Webdunia
ગુરુવાર, 21 મે 2020 (15:01 IST)
રાજ્યભરમાં લૉકડાઉનમાં ભલે છૂટછાટો આપવામાં આવી હોય પણ દરરોજ કોરોનાથી થતા મોતના આકડામાં હજુ મોટો ઘટાડો થયો નથી. છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં કોરોનાથી કુલ 256 લોકોના મોત નિપજ્યાં છે. દરરોજ સરેરાશ 25થી 30 લોકોના મોત નિપજે છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 749 મોત નોંધાઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ 602 મૃત્યું એકલા અમદાવાદમાં નોંધાયા છે. બુધવારે રાજ્યમાં કુલ 397 નવા કેસ નોંધાયા હતા જ્યારે કુલ 30 મોત નોંધાયા હતા. એકલા અમદાવાદમાં નવા 271 કેસ અને 26 મૃત્યું થયા હતા. બુધવારે સાંજ સુધીના 24 કલાકમાં કુલ 6,098 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બુધવારે રાજ્યમાં 176 દર્દીઓને રજા આપવામાં આવી હતી.  છેલ્લા 10 દિવસમાં એક જ દિવસમાં સૌથી વધુ 35 મોત 18 મેના રોજ નોંધાયા હતા. બુધવારે રાજ્યમાં કુલ 398 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયાની બીજી ઘટના છે. આ પહેલા 5 મેના રોજ 24 કલાકમાં સૌથી વધુ 441 પોઝિટિવ કેસ નોંધાયા હતા.  સાથે જ છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં દરરોજ 300થી વધારે કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં દરરોજ 250થી વધારે કેસ નોંધાયા છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

Aarti Sangani Love Marriage - જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ

ગુજરાતી જોક્સ - બતાતે હૈ

કૈલાશ ખેરના લાઈવ શો દરમિયાન હોબાળો; ભીડ સ્ટેજ પર ધસી આવી; શો અટકાવવાની ફરજ પડી

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

VIDEO: ઋત્વિક રોશનની જેમ કાકાના લગ્નમા નાચ્યા પુત્ર રેહાન-રિદાન, પિંકી બોલી - દાદી હોવાનુ ગર્વ છે

આગળનો લેખ
Show comments