Festival Posters

ઈસુ મસીહાએ શીખવ્યો જીવનનો પાઠ

Webdunia
W.D
પ્રેમ, કરૂણા અને સેવા જેવા પવિત્ર સંદેશનો પ્રચાર કરનાર ઈસુ મસીહાએ પીડિત માનવતાના ઉદ્ધાર માટે કાંટાથી ભરેલા સલીબ પર ચઢીને પોતાનો જીવ આપ્યો હતો અને મનુષ્યોને જીવનમાં આવતા દુ:ખોને સકારાત્મક રૂપમાં લઈને જીવન જીવતાં શીખવાડ્યું હતું. દુનિયાની અંદર ફેલાયેલા તેમના અનુયાયીઓ તેમની યાદમાં જ ગુડ ફ્રાઈડે ઉજવે છે.

રોમન કેથોલીક ચર્ચના સ્થાનીક પ્રવક્તા ફાધર ડેમનિક ઈમૈનુઅલને અનુસાર ગુડ ફ્રાઈડે પ્રભુ ઈસા મસીહને સલીબ પર ચઢાવ્યાં હતાં તે દિવસ છે. ખ્રિસ્તીઓ પોતાના પ્રભુની યાદમાં આ દિવસ પવિત્ર અઠવાડિયા તરીકે ઉજવે છે.

ઈમૈનુઅલે કહ્યું, ખ્રિસ્તી ધર્મ માનનારાઓની માન્યતા છે કે અમારા પાપોની મુક્તિ માટે ઈસુ મસીહાને ફાંસી પર ચઢાવી દેવાયાં હતાં. તેથી તેમનું મૃત્યું અમારા પાપો માટે ક્ષમા લાવે છે અને અમને મુક્તિ અપાવે છે. તેમણે કહ્યું, ઈસુ મસીહે પોતે દુ:ખ વેઠીને એક પીડાદાયક મૃત્યુંનું વરણ કર્યું જેના દ્વારા તેઓ એક સંદેશ આપવા માંગતાં હતાં કે માણસે દુ:ખ અને દર્દને નકારાત્મક રૂપમાં ન લેતાં સકાત્મક રૂપમાં લેવા જોઈએ. દુ:ખ અને સંકટની પાછળ એક સંદેશ છુપાયેલ હોય છે અને તે છે મુશ્કેલીઓનો સામનો કરો.

ફાધર ઈમૈનુઅલે જણાવ્યું કે, પવિત્ર ધાર્મિક ગ્રંથ બાઈબલને અનુસાર ઈસુ મસીહાને ગુડ ફ્રાઈડેના દિવસે ફાંસી પર ચઢાવી દેવામાં આવ્યાં હતાં પરંતુ તેઓ ફરીથી જીવતાં થઈ ગયાં હતાં.

ઈમૈનુઅલે કહ્યું, આ આખી ઘટનાથી આપણને બોધ મળે છે કે દુ:ખ જીવનનો અંત નથી. દરેક રાત્રી પછી દિવસ થાય છે તેમ મૃત્યું કે દુ:ખ પછી પુનરૂત્થાન થાય છે. ફાધર જ્યોર્જ અબ્રાહમ કહે છે કે, ગુડ ફ્રાઈડેનો દિવસે ઈશ્વરના મહાન પ્રેમનો દિવસ છે. તેમણે કહ્યું કે, ઈશ્વરે માણસની મુક્તિ માટે પોતાના પુત્રને ફાંસી પર ચઢવાની અનુમતિ આપી હતી. અબ્રાહમે કહ્યું કે, આપણા પાપોને ખત્મ કરવા માટે પ્રભુના પુત્રએ પોતાનું જીવન કુર્બાન કરી દિધું.

ગુડ ફ્રાઈડેના સંદેશના વિષયમાં અબ્રાહમે કહ્યું કે, આ દિવસ આપણને બોધ આપે છે કે બુરાઈને બુરાઈથી નહિ પરંતુ અચ્છાઈ દ્વારા, હિંસાને અહિંસા દ્વારા અને ધૃણાને પ્રેમ દ્વારા ખત્મ કરી શકાય છે. ઈસુ મસીહાએ પણ પોતાના સંદેશમાં કહ્યું છે કે, પોતાના દુશ્મનોને પ્રેમ કરો, ઈશ્વરમાં વિશ્વાસ રાખો, ભવિષ્યની ચિંતા ન કરશો અને અન્યો સાથે તેવો જ વ્યવહાર કરો જેવો તમે તેમની પાસેથી અપેક્ષા રાખો છો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Show comments