Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chaitra Navratri 2024: નવરાત્રીમાં કરશો આ ભૂલ તો નહિ મળે માતાનો આશીર્વાદ

Chaitra Navratri 2024: નવરાત્રીમાં કરશો આ ભૂલ તો નહિ મળે માતાનો આશીર્વાદ
Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2024 (07:14 IST)
chaitra navratri
ચૈત્ર નવરાત્રીનો પવિત્ર તહેવાર વર્ષ 2024માં 9મી એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન, માતાના ભક્તો ઉપવાસ કરે  છે અને માતાને પ્રસન્ન કરવા પૂજા કરે છે. નવરાત્રિ સાથે જોડાયેલા ઘણા નિયમો પણ છે જેને ભક્તોએ ધ્યાનમાં રાખવા જોઈએ. સાથે જ કેટલાક એવા કામ પણ છે જેને કરવાથી તમે માતાના આશીર્વાદથી મળતા નથી. તો ચાલો જાણીએ નવરાત્રી દરમિયાન તમારે કયા કામ ન કરવા જોઈએ. 
 
નવરાત્રિ દરમિયાન ન કરશો  આ ભૂલ
જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, અથવા નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરવા જઈ રહ્યા છો, તો સૌ પહેલા તો તમારે તામસિક ભોજન છોડી દેવું જોઈએ. તેની પાછળનું કારણ એ છે કે તામસિક ખોરાક એટલે કે મસાલેદાર ખોરાક, ગરમ તાસીરનું ભોજણ તમારા વિચારોને નકારાત્મક અસર કરી શકે છે. એવું પણ કહેવાય છે કે જેવું ખાશો અન્ન એવું રહેશે મન.  તેથી, જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ ન રાખતા હોય અને તમે માત્ર માતાની પૂજા કરતા હોય, તો પણ સાત્વિક ભોજન કરો જેથી માતાની ભક્તિમાં કોઈ ખલેલ ન આવે.
 
નવરાત્રિ દરમિયાન, તમારે નોનવેજ,  અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ, તમારે તમારા ભોજનમાં લસણ અને ડુંગળી પણ ન નાખવી જોઈએ. માન્યતાઓ અનુસાર લસણ-ડુંગળીની ઉત્પત્તિ રાહુ-કેતુના લોહીમાંથી થાય છે, તેની સાથે આ પદાર્થો પણ તામસિક પ્રકૃતિના માનવામાં આવે છે. તેથી, નવરાત્રિ દરમિયાન તેમને ખાવાની મનાઈ છે.
 
નવરાત્રિ દરમિયાન  ન પહેરશો આવા કપડા 
 
માતાના નવ સ્વરૂપોના આશીર્વાદ મેળવવા માટે તમારે નવરાત્રિના નવ દિવસો દરમિયાન સાત્વિક ભોજન કરવું જોઈએ અને સાદા વસ્ત્રો પહેરવા જોઈએ. તમારે કાળા કપડા પહેરવાનું ટાળવું જોઈએ, ખૂબ ચમકદાર કપડાં પહેરવાનું ટાળવું જોઈએ અને ચામડાની બનેલી વસ્તુઓ પણ ટાળવી જોઈએ.
 
આ ભૂલ પડી શકે છે ભારે   
 
નવરાત્રિ દરમિયાન મહિલાઓ, કન્યાઓ અને વડીલોનું અપમાન કરીને તમે તમારી જાતને દેવી માતાના આશીર્વાદથી વંચિત કરી શકો છો. દુર્ગા માતાની પૂજા દરમિયાન તમે મહિલાઓનું જેટલું સન્માન કરશો, તેટલું સારું પરિણામ તમને મળશે.
 
- નવરાત્રિ દરમિયાન વ્રત કરનારાઓએ પલંગ પર ન સૂવું જોઈએ. તમારે તમારી પથારી જમીન પર કરવી જોઈએ. જમીન પર સૂવાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે અને તણાવથી પણ મુક્તિ મળે છે. તમે આખો દિવસ ફ્રેશ રહો છો અને તેથી તમારું મન માતાની ભક્તિમાં લાગે છે.
- નવરાત્રિ દરમિયાન નખ, દાઢી અને વાળ કાપવા નહીં.
- શારીરિક સંબંધો ટાળો.
- જો તમે નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા ચાલીસાના પાઠ કરવા જઈ રહ્યા છો, તો તેના ઉચ્ચારમાં ભૂલ ન કરો. જો તમે ઉચ્ચારણ જાણતા ન હોય તો માતાના બીજ મંત્રનો જાપ પણ કરશો તો પણ તમને માતાનો આશિર્વાદ મળશે. 
જો તમે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાની પૂજા કરો છો, તો તમે માનસિક શાંતિ અનુભવશો અને તમારા પર માતાના ભરપૂર આશીર્વાદ વરસશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

આગળનો લેખ
Show comments