Dharma Sangrah

Chaitra Navratri - મા દુર્ગાના શસ્ત્રોમાં છિપાયા છે અનેક સંદેશ

Webdunia
મંગળવાર, 20 માર્ચ 2018 (10:14 IST)
નવરાત્રિમાં માતાનુ નામ યાદ કરતા જ નજર સમક્ષ મા દુર્ગાનુ ભવ્ય સ્વરૂપ સામે આવે છે..  તેમના હાથમાં અનેક શસ્ત્ર લઈને મા દુર્ગા વાઘની સવારી કરતી જોવા મળે છે.  આ સાથે જ એવી માન્યતા છે માતાને લાલ રંગ ખૂબ પસંદ છે. આવો જાણીએ માતાના દરેક શસ્ત્ર પાછળ શુ સંદેશ છિપાયેલો છે. 
 
તલવાર - મા દુર્ગાના હાથમાં સુશોભિત તલવારની તેજ ધાર અને ચમક. .  જ્ઞાનનુ પ્રતિક છે. આ જ્ઞાન બધી શંકાઓથી મુક્ત છે.  તેની ચમક બતાવે છે કે જ્ઞાનના માર્ગ પર કોઈ શંકા હોતી નથી. 
 
ચક્ર - મા દુર્ગાની છેલ્લી આંગળી પર ચક્ર એ વાતનુ પ્રતિક છે કે આખી દુનિયા તેમના અધીન છે. ચક્ર સમસ્ત દુર્ગુણોને નષ્ટ કરીને ધર્મનો વિકાસ કરશે અને પાપોનો નાશ કરવામાં સહાયક રહેશે. 
 
કમળનુ ફૂલ - કમળ કીચડમાં રહીને તેનાથી અછૂતુ રહે છે. એ જ રીતે મનુષ્યએ પણ સાંસારિક કીચડ એટલે કે વાસના લોભ અને લાલચથી દૂર રહેવુ જોઈએ. વિપરિત પરિસ્થિતિયોમાં ધૈર્ય સાથે કર્મ કરવાથી સફળતા જરૂર મળે છે. 
 
ઓમ - દુર્ગાજીના હાથમાં દર્શાવેલ ૐ પરમાત્માનો બોધ કરાવે છે.  ૐમાં જ બધી શક્તિઓ રહેલી માનવામાં આવે છે.  ૐ સંપૂર્ણ બ્રહ્માંડનુ પ્રતિક છે. તેનાથી  મનને એકાગ્ર કરવામાં પણ મદદ મળે છે. 
 
લાલ રંગ - દેવીને સમર્પિત વસ્તુઓમાં લાલ રંગને અગ્નિ તત્વ ગ્રહ સૂર્ય અને મંગળ ગ્રહની કૃપા કાયમ  રાખવા માટે મુકવામાં આવે છે. 
 
શંખ - શંખ ધ્વનિ અને પવિત્રતાનુ પ્રતિક છે. જે શાંતિ અને સમૃદ્ધિનુ સૂચક છે. મા પાસે આવનારા બધા ભક્ત પૂર્ણત પવિત્ર થઈ જાય છે. 
 
ધનુષબાણ - દુર્ગાજી દ્વારા ધારિત તીર ધનુષ ઉર્જાનુ પ્રતિનિધિત્વ કરે છે. આ જ રીતે મા દુર્ગાના હાથમાં ધારણ વજ્ર દ્રઢતાનુ પ્રતિક છે.  જે મનુષ્યની શક્તિ અને ક્ષમતા બતાવે છે. 
 
ત્રિશૂલ - ત્રિશૂલના ત્રણ ધારદાર ભાગ માણસની ઉર્જા દ્રઢતા અને શક્તિનુ  પ્રતિનિધિત્વ કરે છે અને આ ગુણો પર આપણો પૂર્ણ નિયંત્રણ હોવાનો પણ સંદેશ આપે છે. 
 
સિંહની સવારી - સિંહને ઉગ્રતા અને હિંસક પ્રવૃત્તિઓનુ પ્રતિક માનવામાં આવે છે. મા દુર્ગાના સિંહ પર સવાર હોવાનો મતલબ છે કે જે ઉગ્રતા અને હિંસક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવી શકે છે તે શક્તિ છે. મા દુર્ગા આ સંદેશ આપે છે કે જીવનમાં દુર્ગુણો પર નિયંત્રણ કરી આપણે પણ શક્તિ સંપન્ન બની શકીએ છીએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments