Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chaitra Navratri 2024 - ચૈત્રી નવરાત્રી ક્યારે ? જાણો ઘટસ્થાપના મુહુર્ત અને પૂજા વિધિ

Webdunia
શનિવાર, 6 એપ્રિલ 2024 (21:13 IST)
chaitra navratri
Chaitra Navratri 2024:હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારને ખૂબ જ પાવન  અને પવિત્ર માનવામાં આવે છે. આ તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન, માતા રાણીના ભક્તો ઉપવાસ કરે છે અને તેમની ધાર્મિક વિધિથી પૂજા કરે છે. આ ઉપરાંત નવરાત્રિના આ પવિત્ર દિવસો શુભ કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસોમાં કોઈ પણ શુભ મુહૂર્ત રાખ્યા વિના અનેક શુભ કાર્યો કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. લોકો પોતાના ઘરમાં કળશ પણ સ્થાપિત કરે છે અને નવ દિવસ સુધી અખંડ જ્યોતિ પણ પ્રગટાવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ક્યારથી શરૂ થઈ રહી છે અને ઘટ સ્થાપના માટે શુભ મુહુર્ત શુ છે.  
 
શુભ મુહુર્ત 
ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર શુક્લની પ્રતિપદા તિથિ 8 એપ્રિલે રાત્રે 11.50 કલાકે શરૂ થશે. આ તારીખ બીજા દિવસે એટલે કે 09 એપ્રિલે સાંજે 08:30 વાગ્યે સમાપ્ત થશે. હિન્દુ ધર્મમાં ઉદયા તિથિ માનવામાં આવે છે, તેથી ઘટસ્થાપન 09 એપ્રિલે છે.
 
 
ઘટસ્થાપન મુહુર્ત 
09 એપ્રિલે ઘટસ્થાપનાનો સમય સવારે 06:02 થી 10:16 સુધીનો છે. આ ઉપરાંત અભિજીત મુહૂર્ત સવારે 11:57 થી 12:48 સુધી છે. તમે આ બંને શુભ મુહુર્તમાં ઘટસ્થાપના કરી શકો છો.
 
 બની રહ્યો છે શુભ યોગ
સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે પ્રતિપદા તિથિએ રચાઈ રહ્યા છે. આ દિવસે સવારે 07.32 થી અમૃત અને સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. આ બંને યોગ સાંજે 05:06 સુધી છે.
 
ઘટ સ્થાપના પૂજા વિધિ 
-  પ્રતિપદા તિથિના દિવસે સવારે સૌપ્રથમ સ્નાન કરીને પૂજાનો સંકલ્પ કરવો.
-  ત્યાર બાદ પૂજા સ્થાનને સજાવીને કળશને પાણીથી ભરીને પાટલા પર મુકો. ત્યારબાદ કળશ પર નાડાછડી બાંધી દો.  
- ત્યારબાદ કળશ પર કેરીના પાન અથવા આસોપાલવના પાન મુકો  
- ત્યારબાદ પાનની વચ્ચે નાળિયરને લાલ કપડામાં લપેટીને કળશ પર મુકો 
- ત્યારબાદ ધૂપ દીપ પ્રગટાવો અને મા દુર્ગાનુ આહ્વાન કરો અને  શાસ્ત્રોમાં જણાવેલી મા દુર્ગાની પૂજાની વિધિ મુજબ પૂજા શરૂ કરો.

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments