Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિયા ચક્રવર્તીના આરોપો પર સુશાંતની બહેનનો પલટવાર, બોલી - તારી આત્માને શુ જવાબ આપીશ

Webdunia
શુક્રવાર, 28 ઑગસ્ટ 2020 (14:56 IST)
રિયા ચક્રવર્તીએ ગુરુવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતના પરિવારને લઈને પ્રશ્નો ઉભા કર્યા હતા. રિયાએ કહ્યું કે સુશાંતના તેના પિતા સાથે સંબંધ સારા નહોતા. આ સિવાય રિયાએ કહ્યું કે સુશાંતની બહેને મને શારીરિક ત્રાસ આપ્યો છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ હવે આવા બધા આરોપો પર રિયા ચક્રવર્તીને જવાબ આપ્યો છે।
 
શ્વેતા સિંહ કીર્તિએ ટ્વિટ કર્યું હતું કે 'કાશ, મારો ભાઈ તે છોકરીને ક્યારેય ન મળ્યો હોત'  કોઈને તેની ઈચ્છા વિરુદ્ધ દવાઓ આપવી અને પછી તેને ખાતરી અપાવવી કે તેની તબિયત ઠીક નથી.  તેને માનસ ચિકિત્સકો પાસે લઈ જાઓ, આ છેડછાડનું કયું સ્તર છે. તમે તમારા આત્માને શું જવાબ આપશો?'
 
આગળનાં ટ્વિટમાં શ્વેતાએ લખ્યું, 'રિયાએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમે અમારા ભાઈને પ્રેમ નથી કરતા. હા, ઠીક છે તેથી જ હું જાન્યુઆરીમાં અમેરિકાથી ભારત આવી હતી. કારણ કે જેવી મને ખબર પડી કે મારો ભાઈ ચંદીગઢ જઇ રહ્યો છે અને તે ઠીક નથી. મને મારો બિઝનેસ અને બાળકોને મુકીને આવવુ પડ્યુ.  દુ:ખની વાત એ હતી કે હું આવી ત્યારે મારા ભાઈને મળી શકી પણ નહી. 
 
શુ કહ્યુ હતુ રિયાએ ? રિયા ચક્રવર્તીએ એક પાર્ટીનો ઉલ્લેખ કરતા કહ્યુ, એક પાર્ટીમાં હુ સુશાંત સિંહ રાજપૂત અને તેની બહેન પ્રિયંકા સહિત તેમના પરિવારના લોકો હતા. પ્રિયંકાએ નશામાં મને પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો. મને ગમે ત્યા હાથ પણ લગાવ્યો. 
 
રિયાએ કહ્યુ, સુશાંતના પોતાના ફેમિલી સાથે શરૂઆતથી જ સંબંધો સારા નહોતા. ઓછી વયમાં સુશાંતના પિતાએ તેને છોડી દીધો હતો. હુ સુશાંતના જીવનમા આવી એ પહેલા પાંચ વર્ષથી સુશાંત તેમના પિતાને મળ્યા પણ નહોતા.  મને તો એ પણ જાણ નહોતી કે સુશાંતની એક બહેન મુંબઈમાં પણ છે.   તેમની બહેનો સુશાંત સિંહ રાજપૂતને મળવા આવતી હતી અને એક દિવસ પણ રોકાતી નહોતી.  એકવાર વોટર રિસોર્ટમાં સુશાંતની ફેમિલી સુશાંતને મળવા આવી 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments