Webdunia - Bharat's app for daily news and videos

Install App

કંડોમ એડ વિવાદ પર સની લિયોનીએ આપ્યો કરારો જવાબ

Webdunia
શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2015 (14:15 IST)
બોલીવુડ એક્ટ્રેસ સની લિયોનીએ વામપંથી નેતા અતુલ કુમાર અંજાનના વિવાદિત નિવેદન પર ચુપ્પી તોડતા ટ્વીટ કર્યુ કે દુખની વાત છે કે સત્તામાં બેસેલા લોકો તેના પર પોતાનો સમય અને એનર્જી વેસ્ટ કરી રહ્યા છે. 
 
ગુરૂવારે અંજાને બોલીવુડ એક્ટ્રેસ સની લિયોની પર કંડોમની એક જાહેરાતને કારણે વાર કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સની લિયોનીએ કંડોમની એક જાહેરાતમાં કામ કર્યુ છે. જેને લઈને અતુલ અંજાને કહ્યુ છે કે તેનાથી રેપની ઘટનાઓ વધશે. 
 
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈંડિયાએ નેશનલ સેક્રેટીએ આ ટિપ્પણી કરતા કંડોમની જાહેરાતને કામ વાસનાને વધારનારુ અને સમજવા વિચારવાની શક્તિને ખતમ કરનારી બતાવી છે. તેમણે કહ્યુ કે જો લોકોને આ જાહેરાત જોવા દેવામાં આવશે તો રેપની ઘટનાઓ ઝડપ્થી વધશે. 
 
લિયોનીએ બુધવારે સાંજે જ ટ્વીટ કર્યુ. દુખ થાય છે કે જે સત્તામાં બેસ્યા છે એ લોકો પોતાનો સમય અને એનર્જી મારા ઉપર વેડફી રહ્યા છે.  તેમણે જેમને જરૂર છે તેમના વિશે વિચારવુ જોઈએ. 
 
ઉલ્લેખનીય છે કે 34 વર્ષીય સની લિયોની નાના પડદાંના શો બિગ બોસમાં દેખાતા પહેલા પોર્ન ફિલ્મોમાં કામ કરતી હતી. પછી 2012માં તેણે જીસ્મ-2 દ્વારા બોલીવુડમાં એંટ્રી કરી. ત્યારબાદ ડિસેમ્બર 2014માં તેણે મેનફોર્સ કંપનીના કંડોમની જાહેરાતમાં કામ કર્યુ હતુ. 
 
સની લિયોની પર અશ્લીલતાનો આરોપ પહેલા પણ લાગી ચુક્યો છે. મે માં મુંબઈની એક મહિલાએ તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. કહ્યુ હતુ કે સનીએ ઈંટરનેટ પર તસ્વીરો પોસ્ટ કરી છે. જે પોર્નોગ્રાફિક મટીરિયલ સર્કુલેટ કરવા જેવી જ છે. સની લિયોનીની આ વર્ષે બે ફિલ્મ આવી હતી. 'એક પહેલી લીલા' અને 'કુછ કુછ લોચા હૈ'. 
 

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ