બોલીવુડ અભિનેત્રી નરગિસ ફાખરી તાજેતરમાં જ ફિલ્મ હાઉસફુલ 3 માં અભિષેક બચ્ચન સાથે રોમાંસ કરતી જોવા મળી હતી. થોડા દિવસો પહેલા તે અભિનેતા ઉદય ચોપડા સાથે પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં હતી. પણ તાજેતરમાં જ ટ્વિટર પર પોતાની ચાહત વિશે બતાવીને તેણે ફેંસને હેરાન કરી નાખ્યા છે.
તેનુ કહેવુ છે કે તેને કોઈ વ્યક્તિને મેળવવાની લાલચ નથી. તેમણે ટ્વિટર પર લખ્યુ, 'મને માણસ નહી કૂતરો જોઈએ.' તેણે આગળ લખ્યુ, 'જ્યારે કૂતરો પોતાના માલિકને જુએ છે તો તેનુ મગજ પણ આપણી જેમ દોડે છે તે પ્રેમમાં છે.'
થોડા દિવસ પહેલા એવા સમાચાર આવી રહ્યા હતા કે ઉદય ચોપડા અને નરગિસનો બ્રેકઅપ થઈ ચુક્યો છે. પણ ઉદયે પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે નરગિસ તેમની સારી મિત્ર છે.
નરગિસ ટૂંક સમયમાં જ રિતેશ દેશમુખ સાથે ફિલ્મ 'બેંજો' માં જોવા મળશે.