Webdunia - Bharat's app for daily news and videos

Install App

આદિત્ય પૌડવાલના પુત્ર આદિત્ય પોંડવાલના નિધનથી ખૂબ જ શોકમાં છે લતા મંગેશકર, કહ્યુ - મને ખૂબ દુ:ખ થયુ

Webdunia
શનિવાર, 12 સપ્ટેમ્બર 2020 (23:21 IST)
વર્ષ 2020 બોલીવુડ માટે કાળ સાબિત થયું છે. તાજેતરમાં ઋષિ કપૂર, ઇરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂત જેવા કલાકારોના નિધનને હજુ કોઈ ભૂલી શક્યુ નથી. આ વચ્ચે જ પ્રખ્યાત ભજન ગાયિકા અનુરાધા પૌડવાલના પુત્રના નિધનના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ સમાચારથી સ્વર કોકિલા લતા મંગેશકર પણ ખૂબ જ દુખી છે. 
 
ભજન ગાયિકા અનુરાધા પૌડવાલનો પુત્ર આદિત્ય પૌડવાલ ગતરોજ અવસાન પામ્યો. આદિત્ય માત્ર 35 વર્ષનો હતો. તે લાંબા સમયથી બીમાર હતો, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જે બાદ લતા મંગેશકરે પણ આદિત્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
 
લતા મંગેશકરે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, 'અનુરાધા પૌડવાલ પુત્ર આદિત્યના મૃત્યુના સમાચાર સાંભળીને હું ખૂબ જ દુ:ખ અનુભવું છું. ખૂબ જ નાની ઉંમરે તેનું અવસાન થયું. તેના આત્માને શાંતિ મળે. '

<

Anuradha Paudwal ji ke Bete Aditya ke swargwas ki khabar sunke mujhe bahut dukh hua.Bahut choti umr mein uska nidhan hua.Ishwar uski aatma ko shanti pradan kare.

— Lata Mangeshkar (@mangeshkarlata) September 12, 2020 >
 
લોકપ્રિય ગાયક પંકજ ઉધાસે પણ આદિત્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પંકજ ઉધાસે લખ્યું કે, 'આપણી વચ્ચેથી અચાનક આદિત્ય પૌડવાલના વિદાય વિશે જાણીને હું ચોંકી ગયો. અમે તેની ઉર્જાસભર અને તેજસ્વી ચહેરાની છબીને ક્યારેય ભૂલી નહી શકીએ. ભગવાન તેમના આત્માને શાંતિ અને કુટુંબને આ મુશ્કેલ સમયમાંથી પસાર થવાની શક્તિ આપે. પરિવાર પ્રત્યેની અમારી ઊંડી સંવેદના. '

<

Shocked to learn about sudden passing of dear Aditya Paudwal
We will never forget the image of his energetic and bright face. May God grant him eternal rest and the family the strength to bear his untimely passing. our deepest condolences to the family pic.twitter.com/xzwFuia8HO

— Pankaj Udhas (@Pankajkudhas) September 12, 2020 >
 
ઉલ્લેખનીય છે કે  ભજન ગાયિકા અનુરાધા પૌડવાલનો પુત્ર આદિત્ય પૌડવાલ લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતો. આદિત્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સારવાર ચાલી રહી હતી. શનિવારે સવારે આદિત્યએ અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયાને અલવિદા કહ્યું. આદિત્યના અચાનક મૃત્યુથી પરિવાર પર દુ:ખોનો પહાર તૂટી પડ્યો છે. 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments