Festival Posters

સોનાક્ષીના ઝહીર ઈકબાલ સાથે લગ્નથી ખુશ નથી પિતા શત્રુધ્ન સિન્હા, બોલ્યા આજકાલના બાળકો મંજુરી નથી લેતા

Webdunia
મંગળવાર, 11 જૂન 2024 (18:54 IST)
સોનાક્ષી સિન્હા અને બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલના લગ્નની ચર્ચા ઘણી હેડલાઈન્સ બની રહી છે. કહેવાય છે કે બંને 23 જૂને લગ્ન કરી રહ્યા છે. આ અચાનક આવેલા સમાચારથી દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ચાહકો પણ વિશ્વાસ કરી શકતા નથી કે ખરેખર આવું થવાનું છે. જોકે અત્યાર સુધી સોનાક્ષી કે ઝહીર ઈકબાલ તરફથી લગ્નના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ પિતા શત્રુઘ્ન સિંહાએ ચોક્કસ પ્રતિક્રિયા આપી છે. શત્રુઘ્ન સિન્હાનું કહેવું છે કે તેમની પુત્રી સોનાક્ષીએ હજુ સુધી તેમને લગ્ન વિશે કંઈ જણાવ્યું નથી. જો કે આ દરમિયાન તેણે કંઈક એવું પણ કહ્યું છે જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શું પીઢ અભિનેતા અને ટીએમસી સાંસદ શત્રુઘ્ન આ સંબંધથી ખુશ નથી?
 
 
પુત્રી સોનાક્ષી સિન્હાના લગ્નને લઈને શત્રુઘ્ન સિન્હાએ જે પ્રકારની પ્રતિક્રિયા આપી છે, તેનાથી એવું પણ લાગે છે કે કદાચ તે આ માટે સંમત નથી. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે જ્યારે પણ સોનાક્ષી તેમને લગ્ન વિશે વાત કરશે ત્યારે તે કપલને આશીર્વાદ આપશે.
 
સોનાક્ષીના લગ્નના સમાચાર પર શત્રુઘ્ન સિન્હાએ આ વાત કહી
શત્રુઘ્ન સિંહાએ અમારા સહયોગી 'ટાઇમ્સ નાઉ'ને કહ્યું, 'હું અત્યારે દિલ્હીમાં છું. ચૂંટણીના પરિણામો પછી હું અહીં આવ્યો છું. મેં મારી દીકરીની યોજના વિશે કોઈને વાત કરી નથી. તો તમારો પ્રશ્ન છે, શું તે લગ્ન કરી રહી છે? જવાબ એ છે કે તેણે મને આ વિશે કશું કહ્યું નથી. હું મીડિયામાં જે વાંચું છું તે જ હું જાણું છું. જો તે મને ખાતરી આપે છે કે તે લગ્ન કરી રહી છે, તો હું અને મારી પત્ની તેમને (સોનાક્ષી અને ઝહીર ઈકબાલ) અમારા આશીર્વાદ આપીશું. અમે ઈચ્છીએ છીએ કે તે હંમેશા ખુશ રહે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

આગળનો લેખ
Show comments