rashifal-2026

અલ્લુ અર્જુનના ઘરે દુ:ખોનો પહાડ તૂટ્યો, શૂટિંગ છોડી મુંબઈથી હૈદરાબાદ નીકળ્યો અભિનેતા

Webdunia
શનિવાર, 30 ઑગસ્ટ 2025 (13:31 IST)
પુષ્પા ફેમ સાઉથ સુપરસ્ટર અલ્લુ અર્જુનના ઘરે દુખોનો પહાડ તૂટી પડ્યો છે. અલ્લુ અર્જુનની દાદીનુ 94  વર્ષની વયમાં નિઘન થયુ છે. દાદીના નિઘનથી તેમના ઘરમાં સન્નાટો છવાયો છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો દાદીની મોતની માહિતી મળતા જ અલ્લુ અર્જુન પોતાના શૂટિંગ પ્રોજેક્ટ્સ છોડીને મુંબઈથી હૈદરાબાદ માટે નીકળી પડ્યો છે.  
 
ચિરંજીવીએ શ્રદ્ધાંજલિ પાઠવી
 
અલ્લુ અર્જુનના દાદીના અવસાનથી પરિવાર અને શુભેચ્છકોમાં ઊંડા શોક છવાઈ ગયો છે, ચાહકો અને ઉદ્યોગના સાથીદારો તરફથી શોકની લાગણી છવાઈ ગઈ છે. તેલુગુ અભિનેતા ચિરંજીવીએ તેમના x હેન્ડલ પર તેમની સાસુના અવસાન પર ભાવનાત્મક સંદેશ શેર કર્યો. તેમણે લખ્યું, "આપણી સાસુ... શ્રી અલ્લુ રામલિંગય ગરુના પત્ની કનકરથનમ્મા ગરુનું અવસાન અત્યંત હૃદયદ્રાવક છે. તેમણે અમારા પરિવારોને બતાવેલ પ્રેમ, હિંમત અને જીવન મૂલ્યો હંમેશા અમારા માટે પ્રેરણારૂપ રહેશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ."
 
દિગ્ગજ કોમેડિયન હતા અલ્લ્લુ અર્જુનના દાદા 
ઉલ્લેખનીય છે  કે અલ્લુ અર્જુનની ગણતરી આજે દક્ષિણ સિનેમાના સૌથી મોટા સુપરસ્ટારમાં થાય છે. પરંતુ અલ્લુ અર્જુનના પરિવારમાં સિનેમાનું આ બીજ તેમના દાદા 'અલ્લુ રામલિંગા' દ્વારા રોપવામાં આવ્યું હતું. રામલિંગા, જે તેમના સમયના ટોચના હાસ્ય કલાકાર અને પીઢ અભિનેતા હતા, તેમનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું. હવે તેમની પત્ની એટલે કે અલ્લુ અર્જુનની દાદી પણ આ દુનિયાને અલવિદા કહી ચૂકી છે. વર્ષ 2021 માં, અલ્લુ અર્જુને તેમના દાદાને યાદ કરીને એક ભાવનાત્મક પોસ્ટ પણ લખી હતી. જેમાં તેમણે તેમના પરિવારની સિનેમેટિક સફળતા માટે તેમના દાદાને શ્રેય આપ્યો હતો.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

આગળનો લેખ
Show comments