Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખ મતલબ માટે દોસ્તી કરે છે

Webdunia
IFM
શાહરૂખની સૌથી સારી મિત્ર તરીકે ઓળખાતી ફરાહ ખાને શાહરૂખ વિશે એક એવુ નિવેદન આપ્યુ છે જેને સાંભળીને સૌ નવાઈ પામ્યા છે. ફરાહે શાહરૂખ પર સીધો આક્ષેપ લગાવતા કહ્યુ કે 'શાહરૂખ ફક્ત સ્વાર્થ ખાતર દોસ્તી કરે છે.'

એક ઈંટરવ્યુ દરમિયાન જ્યારે ફરાહ ખાનને શાહરૂખ વિશે પૂછવામાં આવ્યુ તો પહેલા એ શાહરૂખ સાથે સંકળાયેલા પશ્નોને ટાળતી રહી. પરંતુ જ્યારે તેને ભારપૂર્વક પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે 'મને લાગે છે કે બોલીવુડમાં ક્યારેક મિત્રતા જરૂરિયાત મુજબ કરવામાં આવે છે. નહી તો શાહરૂખને આટલો ગુસ્સો કેમ આવતો ? મેં તેને ફિલ્મમાં ન લીધો તો તે માટે આવો વ્યવ્હાર કેમ ?

ફરાહ અને શાહરૂખ પહેલાથી જ સારા મિત્રો હતા. તેમની મૈત્રીમાં દરાર ત્યારે આવી જ્યારે ફરાહે પોતાની ફિલ્મ 'તીસ માર ખાન'માં અક્ષય કુમારને સાઈન કરી લીધો. બસ ત્યારથી જ બંનેના સંબંધો બગડ્યા. સમાચાર તો એવા પણ સાંભળવા મળ્યા હતા કે 'તીસ માર ખાન' ફ્લોપ જતા શાહરૂખે મન્નત પર પાર્ટી પણ આપી હતી.

પરંતુ શાહરૂખ અને ફરાહ આ વાતને ખોટી ગણાવી હતી. એક પુરસ્કાર સમારંભ દરમિયાન ફરાહ ખાન શાહરૂખને મળવા તેની વૈનિટી વેનમાં પણ ગઈ. લોકોને બતાવવા માટે બંનેયે એકસાથે ફોટો પડાવ્યો. એ બતાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે બંને હજુ પણ મિત્ર છે.

પરંતુ હવે જ્યારે ફરાહ ખાનને પૂછવામાં આવ્યુ કે શુ તે શાહરૂખ સાથે કોઈ ફિલ્મ પ્લાન કરી રહી છે ? તો તેણે કહ્યુ કે 'મે હજુ આ વિશે કંઈ વિચાર્યુ નથી. હુ શાહરૂખને મળવા તેની વેનમાં એ માટે નહોતી ગઈ કે મારે તેની સાથે કોઈ ફિલ્મ સાઈન કરવાની છે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments