તિરુવનંતપુરમ. પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાને પોતાના બાળકોની જીદ્દ આગળ હાર મનતા ધૂમ્રપાન છોડવાનો નિર્ણય લીધો છે. આ કુટેવથી પીછો છોડવા તેમને એક યોજના પણ તૈયાર કરી લીધી છે.
શાહરૂખે પોતાની નવી ફિલ્મ બિલ્લૂ બાર્બરના સેટ પર ધૂમ્રપાન છોડવા સંબંધી યોજનાનો ખુલાસો કર્યો. આ ફિલ્મનુ નિર્દેશન પ્રિયદર્શન કરી રહ્યા છે.
તેમણે કહ્યુ તેઓ પોતાના બાળકોના દબાવમાં આવીને ધૂમ્રપાન છોડી રહ્ય છે. તેમણે આ આદત પસંદ નથી.
શાહરૂખે 22 વર્ષ પહેલા ધૂમ્રપાન શરૂ કર્યુ હતુ અને તેમને વિશ્વાસ છે કે તેઓ આ આદતથી છૂટકારો મેળવીને રહેશે.