બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર ગરીબ બાળકો માટે પોતાના કપડા જેકેટ બ્રેસલેટ અને કેટલાક ચીજોની હરાજી કરશે. આ હરાજીમાંથી જે રૂપિયા આવશે તેનાથી અનાથ બાળકોની કાળજી રાખશે.
અક્ષયકુમારના સામાનોની આ હરાજી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના શોપિંગ ચેનલ પર થશે. આ ચેનલમાં અક્ષય કુમાર પણ એક માલિક છે . દર મહીને અક્ષયના સામાનોની નિલામી આ ચેનલ કરવામાં આવશે. જેથી ગરીબ અને અનાથ બાળકોની મદદ થઈ જશે અને આ આઈડિયા અક્ષય કુમારે પોતે જ આપ્યો હતો.
આ અંગે રાજ કુન્દ્રાએ જણાવ્યું કે અક્ષયના દિમાગમાંથી આ યોજના નીકળી અને ઘણી સારી છે. અક્ષયના ફેંસની મોટી સંખ્યા છે જે આમાં રસ લેશે. જો આનો સારો પ્રતિભાવ મળશે તો અમે તેમાં અન્ય કલાકારોને પણ જોડીશું.