Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (11.11.2014)

Webdunia
મંગળવાર, 11 નવેમ્બર 2014 (05:08 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 11 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી. 
 
 
તારીખ 11ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 2 રહેશે અગિયારની સંખ્યા પરસ્પર મળીને બે થાય છે. આ રીતે તમારો મૂલાંક બે રહેશે. આ મૂલાંકને ચંદ્ર ગ્રહ સંચાલિત કરે છે. ચન્દ્ર ગ્રહ મનનો કારક હોય છે. તમે વધુ પડતા ભાવુ ક છો. તમે સ્વભાવથી શંકાળુ પણ છો. બીજાના દુખ દર્દથી તમે જલ્દી પરેશાન થઈ જાવ છો. તમે માનસિક રૂપે સ્વસ્થ છો પણ શારીરિક રીતે તમે નબળા છો. ચંદ્ર ગ્રહ સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે. તેથી તમે કોમળ સ્વભાવના છો. તમારામાં બિલકુલ અભિમાન નથી. ચન્દ્ર સમાન તમારા સ્વભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. તમે જો ઉતાવળને ત્યજી તો તો તમે જીવનમાં ઘણુ બધુ મેળવી શકો છો. 
 
શુભ તારીખ -  2, 11,  20,  29
 
શુભ અંક  : 2, 11,  20,  29,  56,  65,  92  
  
શુભ વર્ષ  : 2027,  2029,  2036
 
ઈષ્ટદેવ :ભગવાન શિવ, બટુક ભૈરવ 
 
શુભ રંગ - સફેદ આછો ભૂરો સિલ્વર 
 
કેવુ રહેશે વર્ષ 
 
મૂલાંક 2નો સ્વામી ચંદ્ર છે. અને વર્ષનો સ્વામી બુધ છે. અને આ બંને વચ્ચે શત્રુતા છે. આ વર્ષ ખૂબ સમજદારીથી ચાલવુ પડશે. લેખન સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી પડશે. જોયા વગર કોઈપણ કાગળ પર સહી ન કરશો. કોઈ નવીન કાર્ય  યોજનાઓની શરૂઆત કરતા પહેલા વડીલોની સલાહ લો. વેપાર વ્યવસાયની સ્થિતિ ઠીક ઠીક રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિ સાચવીને ચાલવાનો સમય છે. પારિવારિક વિવાદ પરસ્પર હળીમળીને જ ઉકેલવો. દખલગીરી ઠીક રહેશે નહી.  
 
મૂલાંક 2ના પ્રભાવવાળી વિશેષ વ્યક્તિ 
 
- મહાત્મા ગાંધી 
- અમિતાભ બચ્ચન 
- હિટલર 
- લાલ બહાદુર શાસ્ત્રી 
- થોમસ અલ્વા એડીસન 
- ટીના અંબાણી    
 

ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકવાદીઓ ઝડપ્યા

દાહોદના વરરાજાની ગાડીમાંથી મધ્યપ્રદેશની દુલ્હન કીડનેપ, બે આરોપીઓ રાઉન્ડઅપ

ગુજરાતમાં નહીં મળે ગરમીથી રાહત, રાજ્યના આ શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

અમદાવાદના ચંડોળામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી, ત્રણ ગોડાઉનને ઝપેટમાં લીધા

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

Show comments