Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્યારે ન કરવું જન્મદિવસ પર આ કામ, એનાથી મળે છે વધારે અશુભ ફળ - જ્યોતિષ

Webdunia
રવિવાર, 6 મે 2018 (00:33 IST)
ભારતીય સંસ્કૃતિમાં જન્મદિવસને ખૂબ મહ્ત્વપૂર્ણ ગણાય છે. આથી જન્મદિવસને ઉત્સવના રૂપમાં ઉજવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ જન્મદિવસનું ખૂબ મહત્વ છે. જન્મનો દિવસ, સમય અને સ્થાનના આધાર પર જ માણસની જન્મ કુંડળી બને છે. આથી જન્મદિવસને ખૂબ ખાસ રીતે ઉજવવો  જોઈએ. 
 
તમારા ગ્રહ તમને પ્રતિકૂળ ન ચાલે એ માટે જન્મદિવસના દિવસે કેટલાક  એવા  કામ છે જે ન કરવા જોઈએ. નહી તો આખું વર્ષ ખરાબ થઈ જાય. 

* જે દિવસે તમારો  જન્મદિવસ હોય એ દિવસે વાળ કે નખ ન કાપવા જોઈએ. આ ઉમર માટે સારું નથી ગણાતુ. 
* જે દિવસે જન્મદિવસ હોય એ દિવસે ઉત્સવ ઉજવવા માટે જીવની હત્યા ન કરવી જોઈએ એટલે કે માંસનું સેવન જન્મદિવસના દિવસે ન કરવું જોઈએ. આથી આશીર્વાદની જગ્યા શ્રાપ મળે છે જેથી તમને રોગ અને વિવાદનો  સામનો  કરવું પડે છે. 

* જન્મદિવસના દિવસે કોઈ સાધુ કે ભિખારીનું અપમાન ન કરવું જોઈએ. જો કોઈ યાચક તમારા બારણે આવે તો એને ભોજન કરાવો કે દાન જરૂર આપો. આથી ઉંમર અને સ્વાસ્થ્ય પર અનૂકૂળ પ્રભાવ પડે છે. 
* જન્મદિવસના દિવસે કોઈની સાથે ઝગડો ન કરવો  જોઈએ પણ શત્રુઓને  પણ પ્રેમભાવથી મળીને રહેવું જોઈએ. શાસ્ત્રો મુજબ જે માણસ આ દિવસે વાદ-વિવાદમાં પડે છે એમને આખુ વર્ષ વિવાદોમાં પસાર થાય છે. 












* જન્મદિવસ પર ક્યારે પણ ભૂલથી પણ દારૂનુંં સેવન ન કરવું જોઈએ. જે લોકો આવુ  કરે છે એ એમના હાથે શનિને પોતાના શત્રુ બનાવી લે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જે માણસ મદિરાથી પરહેજ કરે છે એને સાઢેસાતીમાં પણ તકલીફ નહી પડે પણ  જે મદિરાપાન કરે છે એ સાઢેસાતી વગર પણ દુખ મેળવે છે. 

* આ દિવસે ગરમ પાણીથી નહાવું શાસ્ત્રો મુજબ અનૂકૂળ નથી . ગંગાજળ કે કોઈ બીજા પવિત્ર જળને સ્નાન કરવાના પાણીમાં મિક્સ કરી સ્નાન કરવું શુભ ગણાય છે. 
* જન્મદિવસના દિવસે મા-બાપ અને વડીલોએ કર્કશ વાણી ન બોલવી. પણ એમના આશીર્વાદ લેવા જોઈએ. 
 
 

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

આગળનો લેખ
Show comments