Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં સ્વામી નિત્યાનંદ સામે પોલીસ ફરિયાદ

Webdunia
સોમવાર, 18 નવેમ્બર 2019 (10:51 IST)
રવિવારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે સ્વામી નિત્યાનંદ અને તેમના બે સમર્થકો સામે ફરિયાદ નોંધી છે.
અમદાવાદ ગ્રામ્ય એસપી આર. વી. અસારીએ કહ્યું કે બેંગલુરુનિવાસીની ફરિયાદને આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આશ્રમમાંથી લાપતા યુવતીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં હેપિયસ કૉર્પસ પિટિશન દાખલ કરાઈ છે જેની આજે સુનાવણી છે.
પોલીસે કહ્યા મુજબ સ્વામી નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વા સામે બાળકોને કથિત રીતે ગોંધી રાખવાના, મારવાના અને આશ્રમ દ્વારા મૌખિક રીતે ધમકાવવાના આરોપોને પણ ફરિયાદમાં સામેલ કરવામાં આવ્યા છે.
હીરાપુરા આશ્રમ સામે અપહરણ અને ભારતીય દંડસંહિતા હેઠળ અન્ય આરોપ પણ લગાવાયા છે.
હીરાપુરામાં યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમ આવેલો છે, જે સ્વામી નિત્યાનંદનો છે.
આ દરમિયાન રાજપૂત કરણીસેના અને પાટીદાર અનામત આંદોલન સમિતિએ પણ વિરોધ નોંધાવ્યો હતો.
રવિવારે કરણીસેનાના સભ્યો પત્રકારો સાથે આશ્રમમાં પ્રવેશ્યા હતા અને લાપતાં છોકરી શોધવાની કોશિશ કરી હતી.

સંબંધિત સમાચાર

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments