Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલે કહ્યું, 'સરકાર પાસે 7 દિવસનો સમય, નહીં તો જનઆંદોલન થશે'

હાર્દિક પટેલે કહ્યું   સરકાર પાસે 7 દિવસનો સમય  નહીં તો જનઆંદોલન થશે
Webdunia
બુધવાર, 6 નવેમ્બર 2019 (11:08 IST)
ગુજરાતમાં વાવાઝોડાંને પગલે પડેલા કમોસમી વરસાદના લીધે ખેડૂતોએ ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
આ સંદર્ભે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને હવે કૉંગ્રેસ સાથે જોડાયેલા નેતા હાર્દિક પટેલે રાજકોટમાં એક પત્રકારપરિષદ કરી હતી.
 
આ પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલે ગુજરાત સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા કહ્યું, "ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં કામ નહીં કરે તો ખેડૂત સરકાર વિરુદ્ધ બોલશે અને લડશે."
"ગુજરાતમાં ખેડૂતોને બચાવવા છે તો ગુજરાતમાં ભાજપ સરકારે રાજીનામું આપવું જોઈએ. કેમ કે ગુજરાત સરકાર પાસે ખેડૂતોના હિતમાં એક પણ યોજના નથી."
 
"સતત વરસાદના કારણે બચેલો પાક પણ નાશ પામ્યો છે. સરકાર ખેડૂતોને વીમો પણ આપી રહી નથી. વીમા કંપની ખેડૂતોને જવાબ આપી રહી નથી."
તેમણે ઉમેર્યું, "ગુજરાત સરકાર પાસે સાત દિવસનો સમય છે, ખેડૂતોની સમસ્યાનું સમાધાન કરે, નહીં તો જનઆંદોલનનો સામનો કરે."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments