Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ram Mandir News- સુરતના કાપડ વેપારીઓ રામ મંદિરના મહાયજ્ઞમાં 31,500 કિલો ઘીનું યોગદાન આપશે

Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2024 (18:46 IST)
અયોધ્યા રામ મંદિરના મહાયજ્ઞમાં સુરતને પણ આશીર્વાદ મળશે. મહાયજ્ઞ માટે સુરતથી 31 હજાર 500 કિલો ગાયના ઘીનું યોગદાન કરવામાં આવશે. સુરતમાં મોટા ભાગના રાજસ્થાની કાપડ વેપારીઓ વસે છે. જેથી તેઓ દ્વારા મોટું ફંડ એકત્રિત કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાશે. રામલલ્લાની સ્થાપનાને લઇને સુરતમાં ઉત્સાહનો સંચાર થયો છે.અયોધ્યામાં રામલલ્લાની સ્થાપનાને લઇ સમગ્ર દેશમાં એક અનેરો આનંદ છવાયો છે. મહાયજ્ઞ માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. દરમિયાન મહાયજ્ઞને લઇને સુરતમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાયજ્ઞ માટે સુરતથી 31 હજાર 500 કિલો ગાયના ઘીનું યોગદાન આપવામાં આવશે.કાપડ વેપારીઓએ ત્રણ મહિનાની મહેનત થકી મોટી રકમનું ફંડ એકત્રિત કર્યું છે અને તે ફંડ રાજસ્થાન મોકલવામાં આવશે. અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે 1008 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.


મહાયજ્ઞને કારણે દેશભરમાંથી સેવાભાવી-ધાર્મિક સંસ્થાઓ, લોકો તરફથી યથાશક્તિ ફાળો, ફંડ આપવામાં આવી રહ્યું છે. વિવિધ સંસ્થા, સમાજના અગ્રણીઓ શક્ય એટલી મદદ કરી રહ્યા છે. આ અંગે કાપડ વેપારીએ જણાવ્યું હતું કે, જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્ય મહારાજના સાંનિધ્યમાં સુરત શહેરના હિન્દુ સમાજના લોકો દ્વારા 31 હજાર 500 કિલો ઘી મોકલવાનો સંકલ્પ કરાયો છે.

શહેરના રાજસ્થાની સમુદાયના કાપડ વેપારીઓ, ગૌભક્તો એવા અમિત શર્મા, નંદુ ઉપાધ્યાય, લલિત શર્મા, કૈલાશ અગ્રવાલ સહિતનાઓ દ્વારા ઘીની રાશિ એકત્રિત કરીને રાજસ્થાન મોકલવાનું આયોજન કરાયું છે. અંદાજે 200 જેટલા વેપારીઓએ ફાળો આપવામાં ઉત્સાહ દેખાડ્યો હતો અને હવે આ રાશિ રાજસ્થાન મોકલવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમદાવાદમાં રેલવેકર્મીએ મણિનગર રેલવે ક્રોસિંગ પર કર્યો આપઘાત

Haryana Assembly Election Live: મહમમાં હંગામો, ભાજપના ધારાસભ્ય બલરાજ કુંડુ સાથે ઝપાઝપી, કપડા ફાડ્યા

Jammu Kashmir News - જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં કલાકો સુધી એન્કાઉન્ટર ચાલ્યું, સેનાએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો

51 Shaktipeeth : મા વારાહી પંચ સાગર શક્તિપીઠ - 36

Delhi doctor murder- દિલ્હીમાં નર્સ સાથે ડોક્ટરના હતા ગેરકાયદે સંબંધ, નારાજ પતિએ દીકરીના સગીર પ્રેમીને આપી સોપારી

આગળનો લેખ
Show comments