Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્ન પહેલા ન કરો આ કામ નહી તો લગ્ન પછી આવશે મુશ્કેલી

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2017 (14:09 IST)
લગ્ન દરેક વ્યક્તિનુ સુંદર સપનુ હોય છે. બધાની ઈચ્છા હોય છે કે લગ્ન પછી તેમના જીવનમાં પ્રેમ અને આનંદ કાયમ રહે.  
 
પણ બદલતા સામાજીક પરિસ્થિતિયોમાં વૈવાહિક જીવનમાં પરસ્પર મતભેદ અને એકબીજાને દગો આપવાની વાતો પણ ખૂબ થવા લાગી છે. આવામાં એક જરૂરી વસ્તુ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. 
 
લગ્ન પહેલા આ વાતો પર કરી લો વિચાર 
 
લગ્નની વાત જ્યારે નક્કી થવા લાગે તો આ વાત જાણી લો કે જેમની વચ્ચે નવા સંબંધો જોડાવવા જઈ રહ્યા છે શુ તેઓ એકબીજા માટે સહયોગી અને ભાગ્યશાળી છે. આ માટે જ્યોતિષશાસ્ત્રમાં કુંડળી મિલાનની વ્યવસ્થા કરવામાં આવી છે. 
 
કુંડળી મિલાન કરાવતી વખતે આ વાતનુ ધ્યાન રાખો કે થનારા વર વધુની કુંડળીમાં છુટાછેડા, વિયોગ, જેલ યાત્રા, ધન અભાવનો યોગ કેવો છે એ પણ જોવુ જરૂરી છે કે વર વધુની સંતાન અને સ્વાસ્થ્યની સ્થિતિ કેવી છે. આ બધા પછી કુંડળીમાં માંગલિક યોગનો વિચાર પણ જરૂર કરી લેવો જોઈએ. 
 
વિવાહ પહેલા આવી ભૂલ ન કરશો 
 
વર્તમાન સમયમાં અનેક લોકો આવી ભૂલ કરે છે જે લગ્ન પછી મુશ્કેલોનુ મોટુ કારણ બની જાય છે. આ ભૂલ છે ગ્રહ નક્ષત્રો સાથે રમત. મતલબ જ્યારે કોઈ માંગુ પસંદ આવી જાય છે અને કુંડળી મળતી નથી તો ઘણા લોકો ખોટી કુંડળી બનાવીને પરસ્પર કુંડળી મિલાન કરાવી દે છે. જેનાથી લગ્ન તો થઈ જાય છે પણ પછી વર વધુના જીવનમાં સુખ અને આનંદનો અભાવ કાયમ રહે છે.  
 
બીજી વધુ એક ભૂલ છે જે સામાન્ય રીતે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કુંડળીમાં ગ્રહ દોષ હોય તો જ્યોતિષે બતાવેલ કેટલાક ઉપાયો કરીને ગ્રહ દોષથી મુક્ત મળી ગઈ એવુ માનવામાં આવે છે. પણ સત્ય એ છે કે મૂળ જ્યોતિષશાસ્ત્રમાં ઉપાયોનો ક્યાય ઉલ્લેખ નથી. જ્યોતિષશાસ્ત્ર થનારી ઘટનાઓને જાણવા માત્ર માટે બન્યુ હતુ. ઈશ્વરના નિયમમાં દખલ આપવા માટે નહી. એ વાત જુદી છે કે પ્રાર્થના અને ધ્યાનથી થોડાક સુધારા જરૂર શક્ય છે. 

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

ચારધામ યાત્રામાં અસંખ્ય ગુજરાતીઓ ફસાયા

રાજકોટમાં મનોકામના પૂર્ણ નહીં થતાં માજી સરપંચે રામદેપીર અને મેલડી માતાનું મંદિર સળગાવ્યુ

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

આગળનો લેખ
Show comments