Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂ પુષ્યામૃતનો મહાયોગ 25 તારીખે

Webdunia
N.D
25 માર્ચ 2010ના રોજ ગુરૂ પુષ્યામૃતનો મહાયોગ આવી રહ્યો છે. સાત દસકા પછી ચૈત્ર દશેરા પર આ મહાયોગ વિવિધ વસ્તુઓની ખરીદી માટે શુભ અને પ્રગતિ સૂચક બતાવવામાં આવ્યો છે.

જ્યોતિર્વિદ પં ગોચર શર્માએ અહી માહિતી આપતા કહ્યુ કે 30 માર્ચ 1939ના રોજ ચૈત્ર દશેરાના દિવસે મહાયોગની તક આવી હતી. 71 વર્ષ પછી મહાયોગની તક 25 માર્ચ 2010, ગુરૂવારના રોજ આવશે. આમ તો ગુરૂ પુષ્યનો યોગ આવતો જ રહે છે. આ વખતે ચૈત્રી દશેરાના રોજ ગુરૂ પુષ્યામૃત મહાયોગ છે.

N.D
પં શર્માએ જણાવ્યુ કે ગુરૂવારે પૂર્ણાતિથિ પંચમી, દશેરા અને પૂનમ હોય છે, ત્યારે સિધ્ધિ યોગ હોય છે. આ યોગ સમસ્ત કાર્યો માટે સિધ્ધિદાયક હોય છે. ગુરૂ પુષ્યામૃત યોગ સવારે 10.41 પછી દિવસભર રહેશે. જેમા પણ સવારે 11.5 વાગ્યાથી બપોરે 3.39 વાગ્યે સુધી ક્રમશ: ચર, લાભ અને અમૃતનુ ચોઘડિયુ રહેશે. ત્યારબાદ સાંજે 5.11 વાગ્યાથી રાત્રે 9.39 સુધી શુભ, અમૃત અને ચલનુ ચોઘડિયુ રહેશે.

આ વિશેષ દિવસના ખાસ મૂહૂર્તમાં સોનુ, શેર, જમીન, મકાન, વાહન, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, વાસણો, પુખરાજ સહિત અન્ય નંગ અને વસ્ત્રો ખરીદવા શુભ અને પ્રગતિકારક રહે છે. પંડિત શર્માએ જણાવ્યુ કે ગુરૂ પુષ્યામૃતની તક હવે 27 વર્ષ પછી 26 માર્ચ 2037ના રોજ આવશે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

Show comments